SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫૪ સુધી તેઓ અવતાર ઝહીંને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધમથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વરે બને છે. વિશ્વવર્તિ લે કેમ તે ઈશ્વાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુએ તેઓમાં ગુણવડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓના અવતાર થાય છે. કર્મઅગર ગુણાદિ માયારહિત સુદ્ધાત્માના અવતારે થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્માઓ પુણ્ય પ્રાગભારે મનુષ્યને અવતાર પામીને આત્મજ્ઞાન, આત્મધર્મને ઉપદેશ આપીને ધર્મોદ્વારક ઈશ્વર તરીકે ગવાય છે. જેનસ્યાદ્વાદષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિ છે. સિદ્ધ પશમાત્મા નિરાકાર પરમેષ્ઠી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ઠી–પરમેશ્વર છે. ધર્મકારક આત્મજ્ઞાની મહાત્માએ તે ઈશ્વરરૂપ છે અને તે પૂર્વે પણ ગુણસ્થાનકાપેક્ષાએ (પૂર્વભાવમાં) ઈશ્વરાવતાર હતા. વેદાન્તદષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનય દષ્ટિએ એક ઈશ્વર અને વ્યકિતગતદષ્ટિએ સર્વે મહાત્માએ ઈશ્વરે છે. આત્મજ્ઞાની આત્મા મુભવી સરકારમહાત્મારૂપ ઈશ્વરાથી જે સાક્ષાત્ ધર્મની પ્રાપ્તિ થાય છે તે અન્યથી થતી નથી. સાકાર મહાત્મારૂપ ઈશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી. માટે મુનીન્દ્રો કે જે ઈશ્વર પરમેષ્ઠીઓ છે તે આત્મજ્ઞાન ધ્યાનાદિ ગુણવડે ધર્ણોદ્ધાર કરે છે અને અધર્મોનો નાશ કરે છે તેજ પૂજવાં સેવવા યોગ્ય છે. મહષિ-મુનિવ-ગી કે જેઓએ ગીતાર્થદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષનો ઘણા આવરણો દૂર કર્યા છે તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અષ્ટકમેને ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઈન્દ્રાદિક દેથી મળતો નથી તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમાં તલ્લીન બનીને જેઓએ મેદવૃત્તિની પિલીપર રહેલું શુદ્ધ બ્રહ્મનું અનન્તસુખ આ યાદીમાં મસ્ત બની ગયા છે એવા મુનિન્દ્રોથી જ અન્યમનુબેને બુક્તિ'સુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy