SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ જે કાલમાં જે ભાષામાં તેને દેશીય તેને કાલી નમનુષ્યને વ્યવહાર પ્રવર્તે છે તે ભાષા દ્વારા બોધ આપે છે. ધર્મપ્રવૃત્તિમાં અમુક ભાષાનું મહત્વ નથી પરંતુ ભાષા દ્વારા પ્રકાશિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામાં ધર્મપ્રવર્તકમુનીન્દ્ર બોલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષાદ્વારા મનુષ્યને સત્ય વિચારે અને સત્યાચાર અવધાવવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કેઈપણ પ્રવર્તિત ધર્મના પ્રવાહમાં માલિન્ય આવ્યા વિના રહેતું નથી; પરંતુ આત્મજ્ઞાને મહાત્માઓ તે ધર્મમાં પ્રવર્તિત માલિત્યને અવબોધીને તેને નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધપરિવર્તનને કરે છે. ધર્મસામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાણિયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવતિ મનુષ્યના સમાજમાંથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાનિ મુનીન્દ્ર જે આત્મગ આપે છે તેની કિસ્મત આંકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારને ઓળખવામાં કવચિત્ અજ્ઞમનુષ્ય પચ્ચાસ વર્ષ પાછળ હોય છે. ધર્મોદ્વારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજવલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્મેદ્રારક મહાત્માઓ, મનુષ્યનાં કોંમાં સજીવન વિચારમય શબ્દ મને કુંકે છે તેથી મનુષ્યોમાં ધર્મનું નવું ચેતન્ય આવે છે અને મલિનતાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્મોદ્વારકમહાત્માએ રૂ૫ ઈશ્વરે, ભૂતકાળમાં અનન્ત થાય છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાનિમહાત્માઓને તેમના જીવનકાલમાં વિરલમનુષ્ય ઓળખી શકે છે. જેમાં વર્તમાન નમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વ સમર્પણ કરીને તેઓને ઈશ્વરરૂપ માનીને તેઓની સેવા ભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મેદ્રારક ગીન્દ્રોને લેકે ઈશ્વરાવતાર રૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માએ છે તેટલા સત્તાએ ઈશ્વરે છે. તેઓ આત્મશક્તિ પ્રગટાવીને વ્યક્તિથી અમુક દષ્ટિએ ઈશ્વરાવતાર તરીકે થાય છે. ધર્મોદ્વારકમહાત્માઓ ખરેખર ધર્મપ્રવર્તક દષ્ટિએ ઈશ્વર જેવા અથવા ઈશ્વરાવતારે છે. જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy