SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ વભાવ, નિયતિઆદિને પામી થયા કરે છે તેમાં આત્મા તે બાહ્ય કાર્યમાં નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્તમાત્ર છે માટે કતૃત્વસ'મેહ તે કરવા કોઇને છાજતા નથી તે મારે શામાટે મેહ કરવા જોઇએ ? કતૃત્વ સ`માહ તે આત્માના ધર્મ નથી તે તે વિભાવિકપરિણતિ છે તેથી દૂર રહેવું જોઇએ. એ પ્રમાણે જ્ઞાની અન્તમાં નિશ્ચય કરીને કતૃત્વસમેહવૃત્તિ વિના સ્વાધિકારે કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની સ્વાત્માને જ્ઞાનદર્શન ચારિત્રરૂપ માનીને શુદ્ધો પચોગવડે અન્તમાં ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્યધાર્મિક તથા વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શન ચિત્રરૂપ છે. શુદ્ધોપયાગવડે આત્માના શુદ્ધ ધર્મ તેજ આત્માના છે એમ આત્મજ્ઞાની માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાપ્તાધિકારે ખાદ્ય કર્તવ્ય કાર્યને તટસ્થ સાક્ષીભૂત થઇને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી કર્તવ્યકાર્યોંને કરે છે તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવતિ મનુષ્યાની અન્ય કરતાં અનન્ત ગુણુ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તેજ પરમાર્થદૃષ્ટિએ કર્તવ્ય કાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનિકમાગીએની જેટલી ન્યૂનતા તેટલી વિવેન્નતિની ન્યૂનતા અવમેધવી. જ્ઞાની શુદ્ધાપયાગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્યકાર્યને સમાચરે છે તેથી તે આત્માના ગુણેાની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી આવવા દેતા નથી અને કર્તવ્યકાર્યોં કરીને પ્રાપ્ત ગુણાની પરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાત્ રહેતા નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્યકાર્ય કરવામાં કોઇ જાતના દોષ નથી. પરન્તુ અનન્તગુણુ લાભ છે એવું અવધીને જ્ઞાની કર્તવ્યકાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધકર્મથી જે જે કાર્યો કરે છે તે સ્વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે તેમાં સદોષતા હાય તથાપિ તેની અધિકાર ઇશાએ નિર્દોષતા અને સ્વપરની ઉત્ક્રાન્તિ કરનારૂ તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ ઠરી શકે છે—વિષ્ણુ મુનિએ સ્વાધિકારવશતઃ જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સધને શાન્તિ કરનારૂ હતું. શ્રી શાન્તિનાથ, ૮૫ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy