SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૩ તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ો બાયો” જ બારમા એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવાને સત્તાએ પરમાત્માએ માનીને તેને માનવા, પૂજવા, શુભ કરવું અને અશુભના ત્યાગ કરવા એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા વા વિશ્વશુભકાર્યપ્રવૃત્તિ અવમેધવી. સર્વ વિશ્વવર્તિ જીવોનું મન વચન કાયાવડે શુભ કરવું જોઇએ. શ્રીમહાવીરપ્રભુએ આજ ઉદ્દેશે સર્વ જીવોની દયા કરવી, સર્વ વિશ્વવતિ જીવેને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીવોની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીવાનાપ્રતિ કાઈ પણ ધર્મ, જાત, નાત વગેરેને ભેદભાવ રાખ્યા વિના જે જે ગુણે! પ્રગટ્યા હોય તેએની પ્રમેાદભાવના ધારણ કરવી, સર્વ જીવપ્રતિ કારૂણ્યભાવના ધારણ કરવી અને સર્વ જીવપ્રતિ માધ્યસ્થ્ય ભાવના ધારણ કરવી, એવા સદુપદેશ આપ્યા હતા અને પશુઓની હિં‘સા અટકાવી હતી. ગાતમબુદ્ધે સર્વ જીવાનું શુભ કરવું એવી શુભભાવનાના ઉપદેશ આપ્યા હતા અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગને સ્વીકાર કરીને સર્વ જીવાને બ્રહ્મ-આત્મારૂપ એક આત્મારૂપ માનીને ભેદભાવનાના ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જીવામાં, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવું. સર્વે દિવયં પ્રશ્ન ઇત્યાદિ શ્રુતિયાના અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યા હતા. સર્વ જીવામાં સત્તાએ એક સરખું બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કાઇ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવાનુ શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ને ગાયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જીવામાં પરમાત્મત્વ અવલોકવું એવા શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાર્યો કરવાની દિશા દર્શાવી છે. આત્માપ્રતિ અને સર્વ વિશ્વવતિજી સંબંધી જે જે શુભકાર્યો સ્વાધિકારે કરવાનાં હોય તે અવશ્ય આત્મભોગ આપીને કરવાં જોઇએ. સાર્વજનિક હિતકારક શુભકાર્યો કરવાથી અવશ્યમેવ આદર્શ પુરૂષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામાં કાર્યયોગીના ગુણે ઉત્પન્ન કરીને શુભકાર્ય કરવાથી પેાતાનુ અનુકરણુ ખરેખર અનેક રીતે એ જગત કરે છે. શ્રીમહાવીરપ્રભુ, ગાતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy