SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાંસુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાને ઉપકાર જાણવા સમર્થ થયું નથી તે ગુરૂ અને દેવને ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રી મહાવીરપ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવબોધીને અને માતૃભક્તિથી જ શુભકાર્યયોગી બની શકાય છે એમ જગતને જણાવવાનું તેમણે ગર્ભમાં સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભક્તિનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ,પિતૃ, ગુરૂ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવા ભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય છે. વ્યવહારથી જે જે શુભકાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરૂદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પફલાદિ ચઢાવવા માત્રથી ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાંઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમાં પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યપકરણ વડે પ્રભુને પૂજતા હતા. પ્રભુને જલથી હુવરાવતે હતે. દી કરતે હતે. પુપ ચઢાવતો હતો. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લે આવ્યે તેણે કાગળ કરીને પ્રભુ પર જલ રેડયું અને આકડા વગેરેનાં પુષે તેણે પ્રભુના શરીર પર મૂક્યાં. પેલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને મુનિરાજ જે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી બિદ્ય પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! લ્હારા જેવી તે બાહ્યપૂજાવિધિને જાણતા નથી પણ તેના અમાં બહુમાન છે. તે સર્વસ્વાર્પણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે. વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય ત્યારે? મુનિએ કહ્યું કે, તે અવસરે તને જણાશે. એક દિવસ વણિક વનઝાડીમાં પ્રભુની પૂજા ભક્તિ કરવા આવે તેણે પ્રભુની બે આંખે કોઈએ કાઢી નાખેલી દિડી તેથી વણિક બહુ છેટું થયું, બહુ છેટું થયું એમ કથવા લાગે, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy