SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ હરેક પ્રકારે થાય, પણ પરણેલા પતિ સાથે સેજ સાજ પણ નહીં ફાવટ થઈ તે તે માઠું કામ કરવા ઉપર આવે એ સંભવિત છે. અને વળી મને તે એ વાત નિ:સંદેહ લાગે છે કે તેમ થાય જ. કેમકે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એવી લેક વાણી અને શા વાક્ય ખોટું ન હોય અને તેથી કરીને તેવું કૃત્ય કરવાને વિષય વાસનાવાળી સ્ત્રી પાછી પડે એ નહીં માનવા જોગ છે. માટે પુનર્લનું નામ પણ મને તે સાંભળ્યું ગમતું નથી. એક તે વચન ભંગ થાય, બીજું બુદ્ધિ બગડતાં પરણેલા પતિને ઠેકાણે પાડવાનું મન થાય. એવાં ઉગ્ર પાપનાં કારણ થવા સંભવ છે, તેથી તેમજ શીયળ ભંગનું મોટું પાપ પાર્જન થાય, માટે એ મહા દુખદાયી પુનર્લગ્નનું નામ સ્વપ્ન પણ સાંભળવું વ્યાજબી નથી તે કરાય, કરવાનું કહેવાય અને કરનારને સારું મનાય જ કેમ? શું જગતમાં સતી સ્ત્રીઓ થયાનું તમને માલુમ નથી અને તેથીજ તેમનાં નામ મરણ પામ્યા છતાં પણ અમર રહ્યાં છે, તેની શું તમને ખબર નથી. માટે હવે તેનું નામ પણ દેશે નહીં. તે વિશે શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળે– ॥जलमज्जेमच्छिपयं, अवगासे पंखीयाणगयगपणं ॥ | બાળતિ પુતિના, માવરિ ન ગારિ ? અર્થ–જળમાં માછલાંને પદસંચાર, (અને) આકાશમાં પંખીઓના પગને સંચાર થતે બુદ્ધિમતે જણે પણ સ્ત્રીના ચરિત્રને જાણું શકતા નથી. માટે ખચીત એવી પુનર્લગ્ન કરવાની જે છૂટ હોય તે સ્ત્રીઓ શું શું અકાર્ય કરે એ હું કહી શકતી નથી, માટે પુનર્લગ્ન એવું નામ કાને સાંભળ્યાથી મને દુઃખ થાય છે અને પુનર્લગ્ન કરવું એ મેટું પાપ છે. તે વળી શાસ્ત્રમાં આઠ પ્રકારનાં લગ્ન કહ્યા છે. તેમાં પણ પુનઉરનું નામ નથી માટે એ કઈ વિષયવાસનાવાળી સ્ત્રી પર એ ઉત્પન્ન કરેલું મને લાગે છે. માટે એ મહાપાપમય ધન For Private And Personal Use Only
SR No.008582
Book TitleJain Dharma And Khristidharma Mukabalo
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy