SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરૂ કર્યું. ત્યાં પાટણન સંધ પિતાને ગામ ચોમાસું કરવા માટે વિનતિ કરવા આવ્યો તે વિનતિ સ્વીકારી પાટણ વિહાર કર્યો. ત્યાં સામૈયું કરી સંઘે પધરાવ્યા, અને અનુયોગદ્વાર સૂત્રની વાંચના કરી, ઉપધાન વહેવરાવ્યા; અને ત્યાંથી મોદી પ્રેમચંદ લવજી નામના સંધપતિએ વિમલગિરિ સંધ કાઢયે, તેમાં સામેલ થઈ આદિશ્વર પ્રભુને ભેટયા. સંવત ૧૮૩૮ માં લીંબડીમાં ચોમાસું કરી ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૩૮ માં પણ ત્યાં જ ચાતુર્માસ ગાળ્યું, અને તેના પ્રભાવે ત્યાં ૧૦૮ માસક્ષમણુ થયા. અહીંથી વિસલનગર માસું કરી ત્યાં પણ શ્રાવિકાઓને ઉપધાન કરાવ્યાં, અને અત્તરી (અઢાઈ) સ્નાત્ર કર્યું, અને સમોસરણની રચના રચાવી. સંવત ૧૮૪૩ માં રાધનપુરમાં ચોમાસું કરી ભગવતીસૂત્રની વ્યાખ્યા કરી. ત્યાંથી વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૪૩ માં જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીયાએ (કે જે મસાલી આ કુટુંબ હજી પણ રાધનપુરમાં હયાત છે) ગેડીજી જાત્રા કરવા સંધ ચલાવ્યો. સં. ૧૮૪૪ માં પાટણ ચોમાસું કરવા આવ્યા, અને ત્યાં આચારાંગનું વ્યાખ્યાન ચલાવ્યું. આ વખતે પાટણમાં અનેક, લગભગ ૮૦ જિનમૂર્તિઓવાળા જિનપ્રાસાદે શોભતા હતા. તે વખતે સંવત ૧૮૪૪ ના માઘ માસની વદિ નવમી અને ગુરૂવારે શ્રી પદ્મવિજય મહારાજે બિંબ પ્રતિષ્ઠા કરી. આવી રીતે જિનશાસનને અનેક રીતે શોભાવી પોતે વિહાર કરતા રાધનપુર આવ્યા. ત્યાં એક ચોમાસું કરી ફરી પાટણ આવ્યા. અહીં આવશ્યક નિર્યુક્તિ વાંચી શ્રાવકેને પ્રમુદિત કર્યા. અહીંથી બે ચોમાસાં ધનપુર કરી ત્યાં પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી ઉપધાન માળા પહેરાવવા માટે પાટણ ગયા અને ત્યાં બાર વ્રત અને પૈષધ, શ્રાવિકાએએ વહ્યા. સંવત ૧૮૪૮ માં રાધણપુર ચોમાસું કર્યું, પછી વિમલાચલ યાત્રા કરી ત્યાંથી સુરત જવા લીંબડી ગયા અને પછી સુરત આવ્યા ત્યારે સંઘવી પ્રેમચંદ લવજી પ્રમુખે જબરું સામૈયું કરી ગુરૂને પધરાવ્યા. ત્યાં પન્નવસૂત્ર પૂરું કરી મહાભાષ્યની વ્યાખ્યા કરી ઉપધાન વહેવરાવ્યાં; ત્યાંથી રદેર જઈ સ્થાનકવાસી સાથે પૂર્વક વાદ કર્યો, અને ખંભાત આવ્યા. અહીંથી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં સામૈયું થયું, અને રાયપાસેણુસૂત્ર વાંચ્યું. અહીં પણ સ્થાનકવાસી સાથે વાદવિવાદ થયો, અને તેને દૂર કર્યો. અહીં સંઘે બહુ સારી સુશ્રુષા કરી, પછી હૃદયરામ દિવાનનો ગાડીની યાત્રા અર્થ સંઘ નીકળ્યો તેમાં ગુરૂ જોડાયા, અને ફરી લીંબડી ચોમાસું કર્યું. આ વખતે જ બુદિપ પ્રજ્ઞપ્તિ વાંચી. પછી એટલે સં. ૧૮૫૩ માં રાજનગરમાં ચોમાસું કર્યું અને ત્યાં સયગડાંગ સૂત્રનું વ્યાખ્યાન કર્યું. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy