SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપ આવા રાસો ઈતિહાસીક દષ્ટિએ અતિ ઉપયોગી છે. આવા રાસે ઘણા ભંડારોમાં પડેલા છે. મેળવી પ્રકટ કરાવવા પ્રયાસ થાય તો જૈનધર્મના પ્રભાવ પર ઘણે પ્રકાશ પડી શકે. આ ગ્રંથની અર્પણ પત્રિકા અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈને આપેલી છે. (ર) જૈનધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ-ગ્રંથાંક ૨૮ પૃષ્ઠ સંખ્યા ૧૭૫. રચના સંવત ૧૬૮. આસો વદી ૫. બીજી આવૃત્તિ. સં. ૧૯૮૪. આ ગ્રંથમાં જૈનધર્મ અને જૈન સમાજમાં ભૂતકાળમાં કેવી જાહોઝલાલી હતી, જેનોએ જૈન રાજાઓએ, ધર્મસમાજ અને દેશદ્ધાર માટે કેવા અને કેટલા ભગીરથ પ્રયત્નો કર્યા હતા, તેઓનાં સામાજિક અને ધાર્મિક જીવન કેટલાં ઉન્નત હતાં, તેનું ઐતિહાસિક દ્રષ્ટિએ અનેખું ચિત્ર લેખકે તાદશ રજુ કર્યું છે. એ તો ચોકકસ છે કે પિતાના ધર્મની પ્રાચીન સ્થિતિ જાણવાથી દરેકના મનમાં પિતાના ધર્મના ગૌરવ પ્રતિ માન જાગે છે, અને વર્તમાન સ્થિતિ સુધારવાનો વિવેક પ્રાપ્ત થાય છે. પ્રાચીન અને અર્વાચીન સ્થિતિના ઐતિહાસિક જ્ઞાનથી ઉન્નતિ અને અવનતિના હેતુઓને સારી રીતે જાણી શકાય છે. અવનતિનાં કારણોનો ત્યાગ કરી ઉન્નતિના ઉપાયો આદરી શકાય છે. આ જ હેતુ ધ્યાનમાં રાખી આ ગ્રંથ ઘણાં સંશોધન અને માહિતી પ્રાપ્ત કરી લખાયો છે. જૈન-જૈનેતર પ્રત્યેકને આ ગ્રંથ વાંચવામાં રસ આવશે, અને પિતાની સ્થિતિનું દર્શન પામી ઉન્નતિ અર્થે ઝઝુમવાની વૃત્તિ જાગી પુરૂષાર્થ કરવા પ્રેરણા પાશે. | (૩) વિજાપુર વૃત્તાંત-ગ્રંથાંક ૩૬. પૃષ્ઠ સંખ્યા પર. ગ્રંથ રચના સંવત ૧૯૭૩. ભાષા સંસ્કૃત-ગુજરાતી. આ ગ્રંથની સમિક્ષા આ જ ગ્રંથની બીજી વૃહત આવૃત્તિ શ્રી ગુજરાત-વિજાપુર બૃહદ્ વૃતાંતમાં આપવામાં આવશે. (૪-૫૬) ગ૭મત પ્રબંધ – સંઘપ્રગતિ – જૈનગીતા - ગ્રંથાંક ૩૯-૪૦-૪૧. પૃષ્ઠ સંખ્યા પ૬૦. ભાષા પ્રથમ બે ગ્રંથની ગુજરાતી. ત્રીજી જૈનગીતા સંસ્કૃત. ગરછમત પ્રબંધ અને સંઘ પ્રગતિમાં કયા ગ છે કયારે નીકળ્યા-કયા આચાર્યોએ કયા કારણે પ્રવર્તાવ્યા તે અતિહાસિક દૃષ્ટિએ ભગીરથ પ્રયત્નો અને શોધખોળથી અનેક ગ્રંથે શેાધી આપેલ છે. ગા સંબંધી માહિતીવાળું આવું ઉપયોગી પુસ્તક ભાગ્યે જ ઉપલબ્ધ થાય એમ લાગે છે. સંધ પ્રગતિમાં તો લેખકે એટલી શે ધખળ કરી છે કે જે વિસ્તારથી લખવા જતાં બીજે ગ્રંથ બની જાય. પણ મહાવીર સ્વામિથી લઈ ઠેઠ આઠમા સૈકા સુધીની જૈનોની, જૈન રાજાઓની જાહેઝલાલી ટકી અને પછીથી દિગંબર શ્વેતાંબરોના ભિન્ન મતના કારણે પરસ્પરના For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy