SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને હાથે પ્રથમ એક ગદ્ય પુસ્તક અને તે પણ ખંડનમંડનાત્મક હેઈ ગદ્યમય બહાર પડે છે“જૈન અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો.” પણ સાહિત્યજીવનની ઉષા ઉગતાં જ સંજોગોએ તેમને એ પુસ્તક લખવા હાકલ કરી હતી. કમની દૃષ્ટિએ તેમનાં ભજનો અને કાવ્યો કરતાં તે પ્રથમ ઉભે છે. છતાં સરળતાની ખાતર આપણે તેમના પદ્યનું અને પછીથી ગદ્યનું એમ અવલોકનને અનુક્રમ રાખીશું. (૩) લેખનનો ગર્ભિત હેતુઃ ગુજરાતી ભાષા કેમ પસંદ કરી! કાવ્યગુણતુલા દ્વારા શ્રીમદ્દના કાવ્યની તુલના કરતાં પહેલાં તેનું યથાસ્થિત સ્વરૂપ સમજવા, તેઓનો પોતાના લખાણની પાછળ ગર્ભિત હેતુ શો હતો ? તે જાણવું જરૂરી છે. પિતાના જ્ઞાન અને અનુભવનો લાભ વિશ્વને મળે અને તદ્દદ્વારા તેની સર્વ પ્રકારે ઉન્નતિ થાય એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે સાહિત્યનું અવલંબન લીધું. માનવમાત્રની પ્રગતિ શી રીતે સધાય, એ તેઓશ્રીની સતત્ વિચારણાનો વિષય હતો. આના પરિણામ રૂપે તેમના મગજમાં જે જે વિચારો ઉદ્ભવ્યા, જે જે ભાવ ફુર્યા તે સર્વને વ્યવસ્થિત રૂપમાં ગદ્ય યા પદ્ય રૂપે જનસમાજ સમક્ષ મૂક્યા. (જુઓ ભજન સંગ્રહ ભા. ૬ પૃ. ૩ માં) નથી નવરા જરા રહેવું, જગત સેવા બજાવાની, કરીને આત્માનું જ્ઞાન જ, બધાની દૃષ્ટિ ખુલવવી; ચહ્યું છે જે બધામાંથી, બધાને આપવું પાછું, સકળને આત્મવત લેખી, યથાશક્તિ ભલું કરશું. જીવોની શાંતિના માટે, ભલા લેખ લખ્યા કરશું, ખરો ઉપદેશ દેતાં રે, પડે જો પ્રાણુ તોપણ શું! (ભ. ૫. સં. ભા. ૬, પૃ. ૨.) તેમને જીવન સંદેશ “ સેવા” શબ્દમાં સમાઈ જાય છે. આ સંદેશને પ્રત્યાઘાત પ્રબળ રીતે તેમના સાહિત્યમાં પડે છે. એક સ્થળે તેઓએ લખ્યું છે કે, ગામે ગામે નગર નગરે, સર્વ જીવો પ્રબોધું, દેશ દેશે સકળ જનનાં, દુ:ખના માર્ગે રોઉં. સેવા મેવા હદય સમજું, સર્વને પ્રેમ ભાવે, સેવું ફરજે અચળ થઈને, પૂર્ણ નિષ્કામ દાવે. ખીઓનાં હૃદય દ્રવતાં, દુ:ખથી આંસુડાં એ, લુછુ એવુ, જગ શુભ કરૂં, કો’ ન રહે દુ:ખડાંએ. આત્મલ્લાસે સતત બળથી, સર્વને શાંતિ દેવા, ધારૂં ધારું હૃદય ઘટમાં, નિત્ય હો વિશ્વસેવા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy