SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી તેા મહેતા ભલા ૧૯૫ પચીસ સાધુ હતા. ગેાપીપુરામાં શ્રી. મેાહનલાલજી મહારાજ પેાતાના ૫દર સાધુએ સાથે હતા. શ્રી.સુખસાગરજી પેાતાના શષ્યા સાથે પ્રેમચંદભાઈ મેળાપચંદની વાડીમાં ઊતર્યા હતા. શ્રી. હુકમમુનિજીનું ધામ પણ સૂરત હાવાથી તેમ જ ગૂજરી ગયે દશેક વર્ષ થયાં હાવાથી તેમના ઉપાશ્રયના શ્રાવકો ત્યાં વિદ્યમાન હતા. જૈન રૂપી સુંદર માળામાંથી છૂટા પડેલા તેજસ્વી મણકાઓમાંના એક શ્રી. હુકમ મુનિ હતા. તે સ્વયં દીક્ષિત હતા, અધ્યાત્મ ચેાગમાં ઊંડા ઊતર્યા હતા. દ્રવ્યાનુયેાગના વિશિષ્ઠ જ્ઞાતા હતા ને એક એક માસના ઉપવાસ કરી વ્યાખ્યાન વાંચતા. ધ્યાનના તેએ શેાખીન હતા, ને ઝઘડીઆ પાસેના નાંદોદના પતાની હારમાં છ માસ સુધી માસ–માસના ઉપવાસ કરી ધ્યાન ધર્યું હતું. જીવાની અવસ્થામાં ગોધરા, વેજલપુર તરફના ડુંગરામાં ધ્યાન માટે ખૂબ ફર્યા હતા. શ્રી. હુકમમુનિજી સામે શ્રી. આત્મારામજી મહારાજે શાસ્ત્રાની ચેલેજો ફેકી હતી. સ્થાનક્વાસી સાધુએ પણ ત્યાં હતા. આ જ્ઞાની પુરુષાની મિજલૠમાં મેાજ માણુવાની તે આપણા જુવાન મુનિરાજની જૂની ટેવ હતી. તે તે મધુમક્ષિકાની જેમ યત્રતંત્ર રસાસ્વાદ માટે ઊડવા લાગ્યા. એક વાર શૌચથી પાછા વળતાં આપણા મુનિરાજને સ્થાનકવાસી મુનિએ આમત્ર્યા. બંનેએ બેસીને મૂર્તિ વિષે, આગમા વિષે ખૂબ ચર્ચાએ કરી. આપણા જુવાન મુનિએ તેમને મીઠા શબ્દેોમાં મમ કહ્યો કે, ‘ સ’સ્કૃત, પ્રાકૃતને અભ્યાસ વધારા. એ દ્વારા તમને અનેકગણા પ્રકાશ લાધશે. ’ આપણા જુવાન મુનિએ આ પછી શ્રી. મેાહનલાલજી મહારાજ પાસે જવા-આવવા માંડયું. તેમને થાડા પરિચય હતા, પણ મન પર છાપ સારી પડી હતી. પણ આ સંસ સામે જાણીતા મુનિરાજો તરફથી એકદમ લાલ બત્તી ધરવામાં આવી. “ એ તે પહેલાં ત્તિ હતા. એમણે માથે ગુરુ કર્યા નથી. ગુરુ કર્યા વિના ક્રિયાપ્પાર કર્યા છે. એ કપટથી તપગચ્છની ક્રિયા કરે છે, પણુ અંતરમાં ખરતર ગચ્છની શ્રદ્ધા રાખે છે.” નવજુવાન મુનિને આ વાત ન રુચી. કેાઇ પહેલાં યતિ હતા, એટલે પછી શું તેને સાધુ થવાના અધિકાર નથી ? અને સાંકડી દ્રષ્ટિ ન હેાવી એ કંઇ અશ્રદ્ધા છે ! તેના વૈરાગી, ત્યાગી, આત્માથી, શાન્ત ને મિલનસાર સાધુ તરીકે પેાતાને પરિચય હતા. વળી સુખઇ અને સૂરતમાં તેએએ ઘણાં સુંદર કાર્યાં કર્યાં હતાં. એવા સાથે મળવામાં, પરસ્પરના વિચારાની આપ-લે કરવામાં આધ શે ? નવજુવાન મુનિ કદી મેાહનલાલજી પાસે, તેા કદી અન્ય ઉપાશ્રયના સાધુએ પાસે જવા લાગ્યા. ઉદાર દિલવાળાની દુનિયા વિશાળ હોય છે. ઘણા સાધુએ તેમની વિદ્વત્તા, તર્કશકિત ને તપતી સાધુતા જોઈ ખુશ થતા. કેટલાક નાખુશ પણ થતા. પણ સંસારની ખુશી કે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy