SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. સત્કારાદિ સન્માન વિગેરે સહિત પ્રીતિ ભક્તિકર–તને મતિ બુદ્ધિ-વિજ્ઞાન પ્રાપ્ત થએલ છે. છતાં વૃથા સુખ માટે ક્યાં બાથડીઆ ભરે છે. આથડતા અગર અન્યત્ર પરિભ્રમણ કરતાં સંસાર દુઃખમય-દુઃખજનક અને દુઃખ પરંપરાવાળો બનશે. માટે પ્રથમ સમજી બુદ્ધિસાગર–પરમાત્મા સાથે પ્રીતિ ભક્તિ કરીને તેમના ગુણોને ગ્રહણ કરે. તેથી આ જગતમાં કઈ પણ પદાર્થ તમેન નડશે નહી. મોક્ષમાર્ગ–સુગમ-સરસ સરલ બનશે. માટે પ્રથમ પરમાત્માનું પૂજન કરી તેમના ગુણેને કાયમ ગ્રહણ કરવા, કે જેથી આત્માની ઓળખાણ થાય. એાળખાણ થયા પછી આત્મિક શક્તિનું-જ્ઞાનનું ભાન થાય, અને બહુ આદરમાન વધે અને રાગ-દ્વેષ મહાદિકના વિકારો તફાનો સ્વયમેવ શમી જાય. આ મુજબ ફરમાવતાં ગુરૂ કહે છે કે, અરે ભાગ્યશાલીઓ, સર્વશક્તિ-જ્ઞાન વિગેરે સગુણ તમારામાં સત્તામાં રહેલા છે પણ અહંકારમમતાજન્ય રાગ-દ્વેષાદિ કે દબાવી દીધા છે, તેથી સત્ય સુખની ઝાંખી પણ થતી નથી. તે દબાણ દૂર કરવામાં આવે તે જ અનંત સુખના સ્વામી બનશે. કોઈ પ્રકારની વિડંબના રહેશે નહિં. ઉદ્યમ કર્યા સિવાય આત્મવિકાસ ક્યાંથી સધાશે? ઉદ્યમ-સાહસ પરાક્રમાદિ કરે છે તે તે તમારે સંસાર વધારનાર બન્યું અને બનશે માટે અધુના એ ઉદ્યમ-સાહસ-પરાક્રમ કરે કે અહંકાર-મમતા જન્યરાગદ્વેષ ટળે અને સમત્વને આવવાનો અવકાશ મળે. પરંતુ જ્યારે પુણ્યદયે સાધન સંપન્ન બનતાં–શ્રીમંત બનતાં For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy