SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૪ સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સમીપે આવી. આત્મિકગુણેની જે ભક્તને ઓળખાણ થઈ છે તે સ્તુતિ કરે છે કે, હે ગુરૂમહારાજ ! તમે જીનેશ્વરના ગુણે દર્શાવ્યા તેથી મારા જીવને સમજણ પડી કે, રાગ દ્વેષ, મહાદિકને સર્વથા, સર્વદા અને સર્વત્ર જીતે તે જિન થાય. અને તે અઢાર દોષને જીત્યા પછી, જિન થવાય. તેમાં પ્રથમ અહંકાર અને મમકારને મુકવો જોઈએ જ. ત્યારપછી તેઓ. દ્વારા ઉત્પન્ન થએલ દે, દૂર ખસવા માંડે છે. આ મુજબ સમજણ આવવાથી જીનેશ્વરનું નામ સાચું છે એમ મેં માન્યું. કારણ કે જીનેશ્વરના નામ, ગુણોથી નિષ્પન્ન છે. કોઈ નામ પાડે તેથી જિન થવાનું નથી. “હા.” ગુણ. તેવા મેળવે તે હરકેઈ વ્યક્તિ જિન થાય. તેથી જનેશ્વરમાં પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા દઢ થઈ. અને આ નામને જાપ કરવાથી, છેડા પણ તેમના ગુણ ગ્રહણ કરવાથી મહ. મમતા ખસવા લાગી. તેના યોગે, ચિન્તાનો દાહ અને તેને તાપ ખસવા લાગ્યા. અને શાંતિને લાભ મળે. તેથી તે નામ સત્ય માનીને તેના ઉપર પ્રેમ વધારવાથી તે નામને જપવા લાગે. અએવ જગતમાં સંગ સંબંધે જે પ્રાપ્ત થયું તેનું નામ અને વિષયજન્ય સુખ કાચુ લાગ્યું. એટલે તેઓ પ્રતિ જે મમત્વ હતું તે ખસ્યું. અને આત્માથી ન્યારૂ ભાસ્યું. માત, પિતા, ભાઈ, દીકરા અને દીકરી તથા લલના વિગેરે જે પરિવારમાં મારાપણું માની મારું મારું કરતે. હતું અને તેમના પિષણાદિક ખાતર પાપથાનકે સેવતો For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy