SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેિળવવા દુષ્કર બને છે. આ મુજબ સમજતા છતાં પણ, સત્તા, ધન, સાહ્યબીમાં શાંતિ મેળવવાની ઇરછા અને આશામાં રાચીમાચી રહેલ છે. તે જાણપણું કહેવાય નહિ. ધન, સાહ્યબીના વિદ્યમાન પણામાં પણ ચિન્તા હોય છે. તેથી નિશ્ચિત બનાતું જ નથી. તેની ખટપટમાં મનડું ખટપટિયું બને છે. એટલે તેની સારસંભાળમાં માનસિક વૃત્તિ થિરતા ક્યાંથી ધારણ કરે ? તેથી ધર્મધ્યાનમાં મન લાગતું ન હોવાથી બાહ્યમાં ભટકે છે. તેથી આત્મા તરફ લક્ષ રહેતું નથી. બાહ્યત્મા કે ને કહેવાય ? જેની માનસિક વૃત્તિઓ નિરન્તર બાહ્ય, દુન્યવી પદાર્થોમાં ભ્રમણ કરે છે. અન્તરાત્માની મનોવૃત્તિ બાહ્યમાં હોય ખરી, પણ સદા ભટકે નહિ; નિલેપતા હોવાથી તેમાં ચિટી રહે નહિ. તેથી બાહ્ય પદાર્થોનો સહારો લઈ, આમ તરણ તારણ કેમ બને તેની તેને લગની લાગેલી હાય છે. તેથી જે આતમજ્ઞાનીએ છે તેમને આત્માના ધ્યાનમાં લગની લાગેલ હોવાથી સાંસારિક સંકલ્પ વિક વધતા નથી. સમી ગયા હોય છે. તેઓ સારી રીતે સમજે છે કે, આત્મિકજ્ઞાન, દયાનમાં તે ધુમાડા જેવા છે. ધુમાડો આવવાથી રિથરતા ખસવા માંડે છે. તેમ દુન્યવી વિક અને સંક૯પે આત્મધ્યાનમાં રિથરતા કરવામાં વારે વારે વિદનો ઉપસ્થિત કરતા હોવાથી, ધુમાડા જેવા તેમને જ્ઞાનીઓ કહે છે. આવા ધુમાડાના બાચકા ભરતા, કાંઈ હાથમાં આવતું નથી. એટલે આત્મારૂપી હારે હાથમાં For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy