SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ કે. સામાને આઘાત, પીડા થાય નહિ. પરંતુ હિતકારક બોલવાથી શત્રુ તરફથી પણ ભય રહેતું નથી. તેથી વિકલ્પ, સંક૯૫, શંકાઓને આવવાને લાગ મળતો નથી. કાયિકા પ્રવૃત્તિઓ પણ એવી રાખવી જોઈએ કે, કઈ પણ પ્રાણી પીલાય નહિ. આ મુજબ વર્તન કરતા કેઈ પ્રકારને ભય રહેશે નહિ. અને અન્તરાત્મા જે બનેલ છે. તે પરમાત્મપદને અધિકારી થશે. પછી જે અનંતભમાં, જન્મ જરા. અને મરણની પીડાઓ વેઠી છે. તે ખસવા માંડશે. એટલે અલ્પભમાં તે પિડાઓ ટળી જશે. મનુષ્યએ, જન્મમરણની પીડા અનંતભમાં ભેળવી છે. તેના કારણે તમે સમજ્યા હશે. જે ભૂલી ગયા હો તો સાંભળે. માનસિક વાચિક અને કાયિકવૃત્તિ, પ્રવૃત્તિઓમાં ઉપગ રાખ્યો નથી. અને એવું વર્તન કર્યું કે, જન્મમરણની પરંપરા વધ્યાજ કરે. અન્ય પ્રાણનું અહિત થાય તેવા વિચાર કર્યા. બીજએને પીડા થાય, આઘાત પહોંચે એવા વચને બેલ્યા તથા કાયાની એવી પ્રવૃત્તિ કરી કે, બીજાઓ પલાય. નાશ. પામે અને વારેવારે સંતાપ, પરિતાપ વિગેરે કરે. તેથી જ જન્મ, જરા, મરણજન્ય પરંપરા ઘટી નહિ. પણ વધી.. હવે તે સરૂના સમાગમથી તમે સમ્યગદષ્ટિવાળા બનેલ છે. તેથી બાહ્યદષ્ટિ જે હતી તે, આત્મસ્વરૂપમાં અગર આત્મતત્વના ઓળખાણ કરાવનાર નિમિતે તરફ વળી છે. માટે નિર્ભય બને, ખેદ, દ્વેષાદિકને દેશવટે આપે. જે ભય, ખેદ અને દ્વેષાદિકને ત્યાગ કરે છે. તે For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy