SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ચઢયો હોવાથી કુલી ફૂલી ફર્યા કરે છે. અને મનમાં માને છે કે અમારા જેવા કેઈ બુદ્ધિમાન જગતમાં છે જ નહિ. તેઓ પણ પોતાના આત્માને ભ્રમણ, ભૂલેમાં નાંખે છે. વાદવિવાદમાં પડી આત્મભાન ભૂલે છે. સત્યજ્ઞાન કોને કહેવાય તેનું પણ ભાન રહેતું નથી તેથી આત્મસિદ્ધિ કેવા પ્રકારે ઉપલબ્ધ થાય તેને ખ્યાલ ક્યાંથી આવે!તેઓ ફક્ત પિતાની પંડિતાઈના જોરે પૈસા મેળવવામાં જ મગ્ગલ બનેલ હોય છે. તેથી તેઓ પણ અંતે આર્તધ્યાનન ગે હલકી ગતિને પ્રાપ્ત કરી બહુ દુઃખોને ભગવે છે. જો કે પ્રાપ્ત થએલ પિસાના ગે, પુત્ર, પત્ની, પરિવાર વિગેરે ખુશી થઈને અભિનંદન, સાબાશી આપે છે. પણ તેઓ ધર્મધ્યાનના અભાવે જે કષ્ટ ભોગવે છે. તેમાં ભાગ પડાવતા નથી. આશ્વાસન આપે તેથી કાંઈ કષ્ટ ઓછું થતું નથી. માટે વિપત્તિ, સંકટના દુઃખને દૂર કરવા માટે પંડિતાઈની સાર્થકતા કરવા, તેમજ આ ભવમાં અને પરભવમાં પરભાવને ત્યાગ કરવા આત્મધર્મમાં રહેવાની જરૂર છે. તેથી જ પંડિતાઈ સફલતાને સાધે છે. અને શાતા રહે છે. તથા શ્રીમંત ધનાઢયની વાત તે શી કરવી! તે તે ધનના ઘેનમાં કુલ્યા ફરતા હોવાથી અને માલમલીદામાં મગ્ન બનેલ, એવા તેઓ સીદાતા સ્વામી બંધુઓ સામે નજર પણ કરતા નથી. કદાચિત સ્વામીભાઈ કંઈ લેવા માટે આવેલ હોય તે તેને ઉઘડે લઈ કહેવા મંડી પડે છે કે, શરીર તે મજબુત છે. જાતમહેનત કેમ કરતે નથી! અને મારી પાસે મદદ માગવા આવી લાગે છે. જા. જાતમહેનત કર. આવેલ ભાઈ કહે છે કે, ધંધે, For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy