SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ એક લાકડું તરતું જઈ રહ્યું છે. તેના ઉપર બેસી જલ્દી ઘેર પોંચીયે. તથા આ લાકડાને દરિયામાં ફગાવી દઈએ. આ પ્રમાણે સાંભળી. સાગર શેઠના હૈયામાં ફાળ પડી. ખેને આ વહુઓ છુપાઈને રહેલા એવા મને આ લાકડા સાથે દરિયામાં નાંખી દેશે તે મારા રામ રમી જશે. મરણ પામીશ. અને સઘળું ધન પણ નાશ પામશે. માટે ચેતાવું આમ વિચારી. લાકડાની પિલમાં પિઠેલા તેણે કહ્યું કે, આ લાકડાને દરિયામાં નાંખી દેશે નહિ. મેં ઘણું સોનું લીધું છે. અને ઘણું રત્ન લીધા છે. તેથી ધીમે ધીમે લાકડું ચાલે છે. હવેથી તમને કાંઈ પણ કહીશ નહિ તમે ખાઈ પીને લહેર કરજે. આ મુજબ સાંભળી અરસ્પર વિચારણું કરવા લાગી કે, અત્યારે સસરે આપણને મનગમતુ બોલે છે. તે કયા કારણથી કે, મરણના ભયથી, અન્યથા ઘેર પહોંચ્યા પછી તે, તેમને સ્વભાવ ખસવાને નહિ. પાછે લોભથી ધમધમાવશે. માટે ટાઢા પાણીએ ખસ કાઢીએ. કે, જેથી આનંદથી જીદગાની પસાર થાય. આમ વિચારી ધીમે ધીમે ચાલતા લાકડાને ફગાવી દઈને દરિયાનું લાકડું લીધું. તેમાં બેસીને પિતાના સ્થળે આવી. આનંદમાં રહેવા લાગી. સાગર શેઠ તે. રૌદ્ર ધ્યાનના યોગે અત્યંત દુઃખદાયક નરકની ભૂમિકામાં ગયે. ત્યાં સુખશાંતિ કયાંથી? માટે દીર્ઘદશ જનોએ ધનાદિકને માટે લોભ કરવો નહિ. અને રાગદ્વેષ કરીને પિતાના આત્માને છેતરે નહિ. ધનાદિકને માટે રાગ દ્વેષ કરવાથી For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy