SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભજનપદ્ય સંગ્રહ. ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧ર૭ ગુણગ્રાહક દષ્ટિ વિના, નહિ સમ્યકત્વ સહાય, ગુણ વણ શ્રાવક નામથી, ઉચગતિ નહિ થાય. ઘટાટેપ જે ગુણ વિના, લજવે શ્રાવક નામ; સમ્યકત્વાદિ ગુણ થકી, થાવે સદગુણ ધામ. જૈન શાસ્ત્રના મર્મને, જાણે નહીં લગાર; રાખે ઉંચી ટાંગને, મિથ્યા શ્રાવક ધાર. ગુરૂગમ જ્ઞાન ગ્રહે નહીં, સુણે ન આગમ તત્વ; તે શ્રાવક ઉલ્કાન્તિનું, લહે ન સાચુ સત્વ. અનેક દષ્ટિ વડે, સાપેક્ષાએ ધર્મ સમજી કરણું જે કરે, ટાળે તે સહ કર્મ. વિવેક શ્રદ્ધા કરણીએ, શ્રાવક સત્ય ગણાય; અનેકા તદષ્ટિ થકી, ઉચ્ચ દશા તે પાય. આત્મત્કાન્તિ જે કરે, વિશ્વવિષે જયકાર; પ્રગતિ કર શ્રાવક ભલો, જિન શાસન શૃંગાર. ગુરૂવણ શ્રાવક હોય નહિ, વર્તમાનમાં જાણ; માથે ગુરૂ કર્યા વિના, નહિ શ્રાદ્ધત્વ પ્રમાણ. ભૂતકાલ ગુરૂતણી, સ્તુતિ કરે બહુ ભાવ; વર્તમાન સદ્દગુરૂતણી, શ્રદ્ધા કરે'ન સાવ. વર્તમાનમાં નહિ ગુરૂ, ધરે માન્યતા જેહ, શાસનઘાતક તે કહ્યું, પાતિક શ્રાવક એહ. શાસન નેતા સૂરિની, કરે ન આણુ પ્રમાણું; ગચ્છાદિક લોપે અરે, અગ્ય શ્રાવક જાણ. ગચ્છાદિક વ્યવહારથી, વર્તમાન ગુરૂ જેહ; તેની આજ્ઞા ના ધરે, અગ્ય શ્રાવક એહ. સંઘાધિપ ગુરૂ સૂરિન, આજ્ઞા કરે પ્રમાણ શ્રાવક ચોગ્ય તે જાણ, ભાખે જિનવર વાણ. વર્તમાન જે સૂરિ તે, શાસન મુખ્ય પ્રમાણે; - વર્તમાન રાજા સમા, રક્ષાકારક જાણ. ૧૨૮ ૧૨૯ ૧ ૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy