SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ ભજનપદ્ય સંગ્રહ ત્વને સર્વત્ર સર્વ જનને સર્વથા આપે છે, એવા વૃત્તિની પેલી પાર રહેલા શાનવડે જેણે આત્મા અને ઈશ્વરને સાક્ષાત્કાર કર્યો છે એવા સન્તનાં દર્શન મેળાપ કરવામાં આવે અને તે પ્રમાણે પ્રત્યક્ષાનુભવે (વૃત્તિની પેલી પાર રહેલા જ્ઞાનવડે :) પિતાના આત્માને તથા પરમાત્મા આદિને દેખવામાં આવે તે પિતાને સન્ત પ્રભુને મેળાપ થયો એમ પરિપૂર્ણ ખાત્રી થાય છે. પિતને સન્ત કહેવરાવનારા મનુષ્યો લાખ મળી શકે, પણ સાક્ષાત પ્રભુ અને આત્મા વગેરેને દેખાડી આપનારા કેઈકજ જગતમાં મળી શકે. અમે અમારી વૃત્તિના અનુસારે તમારી વૃત્તિને તેવા ઈશ્વર અને આત્માદિની શ્રદ્ધા કરાવીને તેમનાં સાક્ષાત્ દર્શન કરાવી આપીએ એમ વદનારા તથા વૃત્તિમાં પૂર્વે ભાસેલા એવા ઈશ્વર-આત્મા વગેરેને દેખાડીએ એમ કથનારા ઘણું સતો મળી આવે, પરંતુ તે પ્રમાણે વૃત્તિ વિનાના જ્ઞાનવડે સાક્ષાત પ્રભુને અને આત્માને દેખાડનારા સતને મેળાપ થવો એ મહા દુર્લભ છે. કદાપિ એવા સન્તને મેળાપથાય, પરન્તુ યોગ્યતા વિના તેવી રીતે પ્રભુ વા આત્માને પોતાને સાક્ષાતકાર થવો એ મહા દુર્લભ છે. ઉપર્યું કત લક્ષણવાળા જ્ઞાની સખ્ત મહારૂં લ્હારૂં કરતા નથી. તેઓ સ્વાભાવિક ગુણના રાગી હોય છે. મને વૃત્તિમાં જે મને ભાસ થાય તેવા ભાસની આગળની દશામાં તે ગયેલા હોવાથી આ ત્માને મને વૃત્તિ વિનાના જ્ઞાનથી અનુભવ કરે છે, અને આત્મામાં રમે છે. તેવો સન્ત પિતાના ઉપાસકને પોતાના નિવૃત્તિમયાનુભવરંગનું સમર્પણ કરે છે; જે વસ્તુ કેટી ઉપાયથી ન મળે એવી અનુભવ વસ્તુને માગતાં ત્વરિત દે છે. એવે સન્ત સમભાવે સદા વતે છે. જેના હૃદયમાંથી કુમતિ દૂર ભાગી ગઈ હોય છે, એવા સન્તને સમાગમ ખરી શાનિત આપે છે. એવો સન્ત મુમુક્ષઓને પ્રેમાનન્દથી સાક્ષાત પ્રભુને વસ્તુ સ્વરૂપે સ્વદયમાં દેખાડે છે, તે સત ભાવયજ્ઞનો ત્યાગ કરનાર હોય છે. અનેક પ્રકારની શંકાઓનું પાત રાખ્યા વિના સમાધાન કરનાર એવા સન્તપાદપદ્માનુરાગી હું છું. સન્ત મળ્યા એને અનુભવો ? તેના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે તે પોતાને ઈન્દ્રિયાતીત પરમાનન્દરસમાં લયલીન કરી શકે છે. સર્વાનુભવસમપક અને ત્યાયના ત્યાગી એવા સન્તના દર્શનવડે દર્શનચ્છ વડસેભાગી અને વૈરાગ્ય પરિણામે પરિણામ પામેલે થાય, ક્ષયોપશમાદિવૃત્તિથી પર સર્વજ્ઞ વીતરાગ દેવે જે આત્મતત્વાદિ કહ્યું છે, તેને સન્તદ્વારા અનુભવ થાય એવા સન્ત For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy