SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्याऽऽत्मनि जगत्सर्वं भासते नाऽन्यथा कदा | यज्ज्ञानं तन्निजाऽऽत्मैव ज्ञानाऽऽत्मा भाषितः श्रुते ॥ १७६ ॥ જ્યારે આત્મા હોય, ત્યારે આખું જગત ભાસે છે, અન્યથા કોઈ સમયે નહીં. જે જ્ઞાન છે, તે પોતાનો આત્મા જ છે, માટે શ્રુતમાં તેને જ્ઞાનાત્મા કહ્યો છે. (૧૭૬) दर्शनज्ञानचारित्रमनन्तशक्तिसंयुतम् । देहस्थं नित्यमाऽऽत्मानं मूढा जानन्ति नो स्वयम् ॥ १७७॥ દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળા તથા અનંત શક્તિથી સંયુક્ત, દેહમાં રહેલા નિત્ય એવા આત્માને મૂઢ લોકો સ્વયં જાણતા નથી. (૧૭૭) स्वाऽन्य प्रकाशकं ज्ञानं प्रत्यक्षं वेद्यते हृदि । तद्विज्ञानमयः स्वाऽऽत्मा स्वेनाऽनुभूयते स्वयम् ॥१७८॥ સ્વ અને પરને પ્રકાશિત કરનારું જ્ઞાન હૃદયમાં પ્રત્યક્ષ વેદાય છે. તેથી વિજ્ઞાનમય પોતાનો આત્મા જ સ્વયં પોતાના વડે અનુભવાય છે. (૧૭૮) नयभङ्गप्रमाणैश्च यदाऽऽत्मा ज्ञायते हृदि । तदा प्रकाशते ज्ञानं सम्यक्छ्रद्धानपूर्वकम् ॥ १७९ ॥ જ્યારે નય, ભંગ અને પ્રમાણો વડે આત્મા હૃદયમાં જણાય છે, ત્યારે સમ્યગ્દર્શન પૂર્વક જ્ઞાન પ્રકાશે છે. (૧૭૯) सर्वधर्मादिशास्त्राणां नयैः सापेक्षवेदिनाम् । सम्यग्दृष्टिमनुष्याणां ज्ञानं सम्यक्तया भवेत् ॥ १८० ॥ સર્વ ધર્મો વગેરેના શાસ્ત્રોને નયોથી સાપેક્ષ રીતે જાણનારા સમ્યગ્દષ્ટિ મનુષ્યોને સમ્યક્ષણાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૮૦) ૩૬ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy