SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૯ ) પ્રગટ થતા નથી, અને આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરી, આત્મસ્વભાવે રમણ કરતાં, શાચિકભાવની યુતિ થાય છે. પ્રથમ તે આત્મસ્વભાવમાં રમણતા કરવી, એ અશક્ય લાગશે. પણ અભ્યાસ કરતાં હળવે હળવે પ્રવેશ થશે. અનેક વિકપ સંક૯પ કરતી મનોવૃત્તિને દાબી દેઈ, એક રિથર ઉપગથી જ્ઞાનાદિ ગુણોનું સ્મરણ કરવું. અનેક પ્રકારના વિચારે તમારા મનમાં પ્રવેશ કરતા જણાશે, પણ તમે હિંમત હારશે નહિ. પ્રથમ ધ્યાનાવસ્થામાં વિક૯પ સંકપની સાથે બહાદુરીથી યુદ્ધ કરવું. પિતાના મનને એક આત્મસ્વરૂપિપગમાંજ જોડવું, તે જ અત્ર બહાદુરી છે. રાધાવેધની પિઠે, આત્મગુણસ્થિરતામાં એકલક્ષ આપવાથી અત્યાનંદને સહજ ઝરે હદયમાં પ્રગટે છે, તેનો અનુભવ યોગીને હોય છે. પરસ્વભાવત્તિ તેજ સંસાર છે. ઘર નિદ્રામાં જેમ સર્વ ભાન ભૂલી જવાય છે, તેમ તમે પરસ્વભાવવૃત્તિને તેવી રીતે ભૂલી જશો, તે એક આત્મસ્વરૂપ જાગૃતિ થવાથી, અનંત સુખના ભેગી બનવાના, એમાં જરા માત્ર સંશય નથી. આત્મસ્વરૂપની જાગૃતિથી, ધ્યાનની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, શુરાત્મસ્વરૂપને અનુભવ હદયમાં પ્રગટે છે. પછી ધ્યાનપુરૂષને અન્ય મનુષ્યની સાથે વાર્તાલાપ કરવાનું પણ ગમતું નથી. સર્વ બાહ્યપદાથામાં ઈચ્છાબુદ્ધિ બંધાઈ હતી, તે ટળી જાય છે. અને For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy