SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦ ) તે પકવાનુભવવડે પિતાના અધિકાર પ્રમાણે સર્વપ્રકારની પ્રવૃત્તિ વા નિવૃત્તિ અવબોધાય છે. અધ્યાત્મજ્ઞાનીઓએ ક્રોધાદિક દેષને જીતવા જોઈએ. અધ્યામજ્ઞાન ખરેખર સત્ય અને અસત્યનો ભેદ પાડી આપે છે, પણ પશ્ચાત્ અને સત્ય એવા કૅધ, માન, માયા, લોભ, સ્વાર્થ, વૈર, નિન્દા, કલેશ, હિંસા અને અસત્ય આદિ દેને હઠાવવા પ્રયત્ન કર્યાવિના તે દેષોનો ક્ષય થતો નથી. દુર્ગુણેને હઠાવવા માટે ક્ષણેક્ષણે અધ્યાત્મજ્ઞાનને ઉપયોગ કરો જોઈએ. દુનિયામાં અધિકારે જે જે કાર્યો કરવામાં આવે તેમાં પણ અધ્યાત્મજ્ઞાન વડે દે ન ઉત્પન્ન થાય તે ઉપગ ધાર. અધ્યાત્મજ્ઞાનીઓ, પરેપકારઆદિ ધર્મકાર્યોને કરતી વખતે મનમાં અહત્વ મમત્વ આદિ દેને, ખરેખર અધ્યાત્મજ્ઞાનના બળવડે ઉત્પન્ન થવા દેતા નથી અને તેઓ દરેક કાર્યો કરતી વખતે મગજને તાબે રાખી શકે છે. અધ્યાત્મજ્ઞાની થનારને ધમૅક્રિયાઓ અને પારમાર્થિક કાર્યો કરવાનાં નથી એમ કદી કેઈએ માની લેવું નહિ, અર્થાત્ અધ્યાત્મજ્ઞાનીઓને પિતાના અધિકારપ્રમાણે સર્વ કરવાનું છે. ગૃહસ્થ ગૃહસ્થના અધિકારપ્રમાણે ધર્માચારે અને પરેપકારિક કૃત્યો કરવા જોઈએ અને સાધુઓએ પિતાના અધિકારપ્રમાણે, ધર્માચારે, ઉપદેશ, પઠન, પાઠન આદિ કર્યો કરવા જોઈએ, અધ્યાત્મજ્ઞાનની કસોટી ખરેખર મનુષ્યના સંબધમાં આવવાથી થાય છે. દુનિયાના–મનુષ્યોના સંબન્ધમાં આવ્યા છતાં મનમાં રાગ, દ્વેષ, મમતા અને કામ આદિ દેષોને વારવામાં સમર્થ થવાય ત્યારે, તેમજ મનુષ્ય વગેરે તરફથી સાધુઓને તથા ગૃહસ્થને અનેક ઉપસર્ગો થાય તો પણ તે તે ઉપસર્ગો સામે ટક્કર ઝીલી શકાય ત્યારે, અન્તરમાં ચારિત્રરૂપે અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું એમ માની શકાય છે. આત્મામાં ઉત્પન્ન થએલો અધ્યાત્મજ્ઞાનને પરિણામ ખરેખર મન, વચન અને કાયાના યોગને પિતાના તાબે કરીને તેઓને આ ત્માના સ્વરૂપ તરફ વાળે છે. પેટમાં દાખલ થયેલી પારાની અને સેમલની માત્રા ખરેખર બાહ્ય શરીરની પુષ્ટિ કર્યા વિના રહેતી નથી, તે પ્રમાણે અત્તરમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસબાદ પરિણામ પામતુ એવું અધ્યાત્મજ્ઞાન, ખરેખર મન, વચન અને કાયાના કેગને સુધારવા શક્તિમાન્ થાય છે. પેટમાં દાખલ થએલી માત્રાઓ તત પિતાની અસર કરવાને શક્તિમાન બનતી નથી; પૃથ્વીમાં વાવેલું રાયણનું બીજ કંઈ તુર્ત ફલ આપવાને માટે શક્તિમાન બનતું નથી; તે પ્રમાણે અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ પણ સર્વને તુર્ત ફલ ન આપી શકે, એમ બનવા ગ્ય છે. વ્યવહારકિયાએ પણ એકદમ દેશોને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy