SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) સુખની ઘેન પ્રગટયા વિના રહેવાની નથી. આત્માના ધર્મમાં ઉંડા ઉતરવાથી આત્માનું વાસ્તવિકરૂપ પ્રગટ થયા વિના રહેવાનું નથી. સન્ત પુરૂષો અને વીતરાગનાં આગમનું અવલંબન લેઈને આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે સદાકાલ પ્રયત્ન કર્યા જ કરે; કદાપિ મેહના જોરથી પ્રમાદ દશામાં પડી જવાય તોપણ, પડ્યા તેથી બમણુવેગે આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. દુનિયાના સ્વાર્થ માટે આત્મસાધકત્વને ડેળ રાખીને જેઓ પ્રયત્ન કરે છે, તેનામાં વસ્તુતઃ આમામાં રહેલા સગુણે પ્રકટી શક્તા નથી. આત્માના ગુણેને પ્રાપ્ત કરવાના ભાગેને જેઓ સરલતાથી અંગીકાર કરે છે તેઓ અનુભવામૃતનો સ્વાદ લહી શકે છે. ઉત્તમ જ્ઞાનીઓ પોતાના આમિક સદ્ગુણોનું પાલન કરતા જાય છે અને અન્યોને ધર્મમાગેમાં ચઢાવવારૂપ ધમૅસેવા પણ બજાવતા જાય છે. ખરેખર, ઉત્તમ ધર્મને બોધ આપો અને વીતરાગના માગપર જગતને ચઢાવવું એ જગસેવારૂપ ધર્મને મુનિવરે જ આદરે છે; તેઓ આત્મજ્ઞાનવડે પિતે ઉચ્ચગુણોને પ્રાપ્ત કરતા જાય છે અને અન્યોને પણ સહાય કરતા જાય છે. અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું બળ હોય છે કે, તેથી દુનિયામાં વ્યાવહારિક અને પારમાર્થિક ઉપદેશ, સેવા, વાચન, લેખન અને સંઘભક્તિ આદિ કાર્યો કરતાં છતાં પણ, અહં અને મમત્વભાવની ફુરણું થઈ શકતી નથી. જે મુનિવરે અને ગૃહસ્થ આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરીને વ્યવહારધર્મ સેવે છે, તેનામાં સંપ, પ્રેમ, ભાતૃભાવ, નિષ્કામ પરેપકાર, સમિતિ, ગુણિ, ભક્તિ, ઉદારવૃત્તિ, ધર્મવાણી, નિસંગતા, ઈચ્છાધ અને ઉપસર્ગ સહનાર ધૈર્યવૃત્તિ, વગેરે અનેક સગુણ પ્રકટવાથી અહંવૃત્તિ આદિને સ્થાન ન મળવાથી, તેઓ જૈન કેમ, આદિ અનેક સંસ્થાઓને ઉચમાર્ગતરફ લઈ જાય છે અને અવનતિકમના હેતુઓને નાશ કરી શકે છે; તેમજ નિષ્કામવૃત્તિથી બાહ્ય તથા આતરિક પ્રયત્ન કરવાની શક્તિ આવવાથી સિદ્ધપુરૂની પેઠે તેઓની મન, વાણી અને કાયામાં અલૌકિક એવી શકિત પ્રગટે છે અને તેના વડે તેઓ દુનિયાને દિવ્યસુખમય ભૂમિપ્રતિ લેઈ જાય છે. અધ્યાત્મશતિવિનાને એકલે શુષ્કયિામાર્ગ ખરેખર અહંકાર, વાસના, અજ્ઞાન આદિ ખાડા અને કાંટાથી ભરપૂર હેવાથી, તે માર્ગ ગમન કરનારાઓનું ચારિત્ર્ય ઉત્તમ પ્રકારનું પ્રગટી શકતું નથી. અધ્યાત્મજ્ઞાન અને તેનાવડે આત્મશુદ્ધિને માર્ગ સ્વીકાર જ્યોવિના અધૂપરંપરા વ્યવહારકિયાઓ કરવામાં આવે છે તે, તેમાં રસ પ્રગટતે નથી; કેમકે, ઉત્તમ આત્મ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy