SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૮). સ્થાનકમાં ગમનાગમન થયા કરે છે. શ્રીમદ્ આનન્દઘનને અમરત્ત ગુણસ્થાનકનો અનુભવ થયો હોય એમ લાગે છે. આવા મુનિવરેના હૃદયમાંથી ઉપર્યુક્ત સમ્યગ્દતિના ઉદ્ગારે નીકળે એ સ્વાભાવિક છે. સમ્યગમતિ અને અન્તરાત્માનાં પાત્રો મુનિ હોય છે, તેથી તેઓનું અત્ર અધિકાર પરત્વે વિવેચન કરવામાં આવ્યું છે. સમ્યગુમતિ અને અન્તરાત્માના સંબધે ખરેખરી રીતે સમ્યગુમતિએ, પિતાના સ્વામીપરત્વે જે જે ઉગારે કાઢયા છે, તેને અનુભવ-વસ્તુતઃ સાધુઓની દશા વર્ણન કરીને-દર્શાવ્યો છે. ઉપસંહારમાં હવે લખવાનું કે, સમ્યગતિનું પાત્ર પિતાના આભામાં છે અને તે જેની સાથે રમણતા કરવા ધારે છે તે પણ શરીરમાં રહેલે આત્મા છે. અન્તરાત્મા અને સમસ્મૃતિને સંબન્ધ સદાકાલ જ્યા કરો. અન્તરાત્માની સાથે સમ્પમતિને જોડવાના જે જે ઉપાયે હોય તેઓને આદર કર્યા કરે. અધ્યાત્મ શાસ્ત્રોનું વારંવાર મનન કર્યા કરવું. નિરૂપાધિસ્થાનકનું અવલંબન કરીને મનમાં શુભ વિચારેને સ્થાન આ પ્યા કરવું અને અનંતરાત્માની દશાની વૃદ્ધિ કરનારા એવા સંત પુરૂને સદાકાલ સમાગમ સેવ્યા કરે. સમ્યગુમતિએ જે ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપર રહીને જે સંભાષણું આપ્યું છે તે ગુણસ્થાનકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાના અધિકાર પ્રમાણે વ્યવહારમાર્ગના ઉત્તમ સદાચારે સેવ્યા કરવા, અધ્યાત્મ પરિતિની દશા ન રહે અને શુભાદિ વ્યવહારની પ્રવૃત્તિને ત્યાગ કરવામાં આવે, એવી ત્રિશંકુ જેવી અવસ્થા કદી કરવી નહિ. આત્માની શક્તિ ને પૂર્ણ વિશ્વાસ થતાં એટલે બાહ્યરુષ્ટિમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, તેના કરતાં આત્માની સૃષ્ટિમાં અનતગણે પ્રેમ ઉત્પન્ન થાય છે. આત્માના ગુણોમાં પ્રેમ લાગવાથી અશુદ્ધ પ્રેમ પણ શુદ્ધ પ્રેમરૂપે પરિણમે છે. આત્મામાં કયું ગુણસ્થાનક આવ્યું છે અને કયું ગુણસ્થાનક નથી આવ્યું, ઇત્યાદિ ગંભીર અને અનિશ્ચિત પ્રદેશમાં ઉતરીને અનુમાનના માર્ગ પર ત વહાવ્યા કરતાં, આત્માના ગુણની શુદ્ધિ કરવાજ કટિબદ્ધ થઈ પ્રયત કર્યા કરે, એ કરોડગણું ઉત્તમ કાર્ય છે. આત્માએ પિતાના શુદ્ધ પ્રેમથી શુદ્ધ ધર્મના માર્ગ તરફ ચાલ્યાજ કરવું, મુક્તિના માર્ગમાં જે જે અનુભવે તે તે દશાની અવધિએ આવવાના હોય છે તે આવ્યા વિના રહેતા નથી. માર્ગમાં આગળ ચાલ્યા કરે; પિતાને શુદ્ધોપયોગ સાક્ષીરૂપે બનીને સત્ય બતાવ્યા કરશે. આત્માના શુદ્ધોપગે અન્તરમાં રમણુતા કરતાં મનને અગોચર એવા નિલયિક For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy