SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૩ ) ઈશ્વર જગત્કર્તૃત્વવાદ માનનારા મુસમાના, નૈયાયિકા, અને ખ્રીસ્તિયા વગેરેના ધર્મીંગનું ખંડન કરે છે. પુરાણી, મુસલ્ખાના, ખ્રીસ્તિ અને નૈયાયિકા એકાન્તે ધર્મરૂપ હસ્તિના આરાપરૂપ ધર્માંગને સ્વીકાર કરીને વ્યવહારનયકથિત એકાન્ત સાંખ્યતત્ત્વ ધર્માંગને અસત્ય માનીને તેનું ખંડન કરે છે. અદ્વૈતવાદી ધર્મરૂપ હસ્તિના સત્તારૂપ ધર્મના એકાન્ત સ્વીકાર કરીને અન્યનયકથિત ધર્માંગાના અસ્વીકાર કરીને તેઓનું ખંડન કરે છે. નાસ્તિકા સાંવ્યાવહારિક પ્રત્યક્ષરૂપ એક ધર્માંગા એકાન્તે સ્વીકાર કરીને અન્યનયકથિત ધર્મરૂપ હસ્તિના અંગેના અસ્વી કાર કરીને તેની નાસ્તિતાનું પ્રતિપાદન કરે છે. એકેક નયની દૃષ્ટિથી અવલોકનારા તથા તે પ્રમાણે ધર્મને એકાન્તે માનનારા ધર્મવાદીઓ, છ આંધળાઓની પેઠે પરસ્પર એકબીજાનું અપેક્ષા સમજ્યાવિના ખંડન કરીને જગત્માં લેાકેાના વિચારોમાં અશાન્તિ અને મિથ્યાત્વના રસ રેડીને, દુનિયામાં શુદ્ધ પ્રેમતત્ત્વ અને ધર્મતત્ત્વનું સત્ય બીજ વાવી શકતા નથી. છ આંધળાની પેઠે એકાન્ત એકાંગ ધમવાદીએ વિતંડાવાદ કરીને સાપેક્ષ ધર્મવાદના નાશ કરે છે. જ્ઞાનીઓનાં વચનાને એકાન્તવાદધારક અજ્ઞાનીએ સમજી શકતા નથી. તે નીચેના પદથી સમજાશે. ૫૬. (હવે મને હિરેનામનું નેહ લાગ્યા. એ રાગ.) જ્ઞાતિનાં. ૧ જ્ઞાનિનાં વચના સમજે છે જ્ઞાનીઓ વિચારી,મૂર્ખામાં થાયમારામારીરે.જ્ઞાની. છ અંધાએ એકેક અંગે, બાજી હાથી નિોયા, એક બીજાનું થાપે ઉથાપે, વિતંડાવાદને વધાર્યા રે. પાસું સાનાનું એક રૂપાનું, ઢાલ તણું ભાઈ જાણે, સાનાની એક કહે છે રે રૂપાની, સમજ્યાવિના ભરમાણેા રે. જ્ઞાતિનાં, ૨ સાપેક્ષાએ શાસ્રવચન સહુ, સ્યાદ્નાદદર્શન ગાવે, સમજ્યાવિના અજ્ઞાનિમાં ઝઘડા, ખંડનમંડન થાયે રે. સાત નયેાની વાત ન જાણે, પેાતાના મત તાણે, સાપેક્ષાવણુ સમજે ન સાચું, અભિમાન અન્તર આણે રે. નયાના જ્ઞાનવણુ નિર્ણય ધારે, વસ્તુસ્વરૂપ ન વિચારે, ગાનિનું ગાયું ફૂટી મારે છે, તરે નહિ અન્ય તારે રે. મૂખૌના વાદમાં ખાદ ઘણી છે, ખરી સમજ કહે ખાટી, સુગરી વાનરથી દુઃખ લહી તેમ, વાગે જ્ઞાનીને સટ સેાટી રે. જ્ઞાનિનાં પ જ્ઞાનિનાં ૬ For Private And Personal Use Only જ્ઞાતિનાં. ૩ જ્ઞાનિનાં, ૪
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy