SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૨ ) ૫૬ ૮૬. ( રા સાÉTL ) चेतन ऐसा ज्ञान विचारो, सोहं सोहं सोहं सोहं ॥ सोsहं अणु न बीयासारो. ॥ શ્વેતન॰ ॥ ? ॥ निश्चय स्वलक्षण अवलंबी, प्रज्ञा छैनी निहारो ॥ રૂદ જૈની મધ્યવાતી તુવિધા, રે બડ ચેતન હારો. વેબાશા ભાવાર્થ:—શ્રીમદ્ આનન્દઘનજી પોતાના ચેતનને કથે છે કે, હે ચેતન ! તમે ઉત્તમ આત્મિક જ્ઞાનને વિચારે અને દુનિયાનું જડ વસ્તુ સંબન્ધીનું જ્ઞાન તજીને અધ્યાત્મ જ્ઞાન કરો. આત્માનું સ્યાદ્વાદભાવે સ્વરૂપ અવબાધીને સા ં સા ં શબ્દને અન્તરમાં ઉપયોગથી સૂક્ષ્મ જાપ જપે. સઃ- તે પરમાત્મા અ ં, તે હું, આત્મામાં સત્તાએ રહેલું પરમાત્મપણું તેજ હું છું, આતમ સો પરમાતમા, પરમાતમ સો સિદ્ધ; વિશ્વદ્દી દુવિધા મિયા, માટ મર્ નિન ઋદ્ધિ, આત્મા તે પરમાત્મા છે. પરમાત્મા તેજ સિદ્ધ છે. આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ કરાવનાર કર્મ છે; કર્મને નાશ થતાં આત્મા તેજ પરમાત્મા કથાય છે. આત્મા તેજ હું છું, આત્મામાં પરમાત્મપણું રહ્યું છે તેજ હું છું, જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનન્તગુણુમય હું આત્મા છું, એમ સા ં શબ્દ વાચ્યાર્થનું મનન કરો. સેાહું જાપ સારો છે માટે શ્વાસેાાસે ઉપયાગમાં રહી સેા ંને જાપ કરો. હું ચેતન ! સેહું શબ્દના જાપથી તમે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં રહે અને શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું શુદ્ધ લક્ષણ અવલંબીને શુદ્ધ પ્રજ્ઞાપ ઇંળીને દેખા. શુદ્ધ પ્રારૂપ છેંળી જડ અને ચેતનની અશુદ્ધ એકાકાર પરિણતિ થઈ ગએલી છે તેની મધ્યમાં પડીને, જડ અને ચેતનની પરિણતિને ભિન્ન કરે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં શુદ્ધ પ્રજ્ઞારૂપ છેણી ઉત્પન્ન થાય છે અને તે જડ અને ચેતનની એકાકાર પરિણતિને એ પ્રકારે-જુદી કરે છે, અર્થાત્ જડને જડભાવે જણાવે છે અને ચેતનને ચેતનભાવે જણાવે છે. હંસ જેમ પેાતાની ચાંચવડે દુગ્ધ અને જલને જેમ ભિન્ન કરે છે, તેમ આત્મા પણ શુદ્ધ પ્રજ્ઞારૂપ છેણીવડે જડ અને પેાતાને ભિન્ન ભિન્ન નિર્ધારે છે અને તેથી આત્મા પોતાની સહેજ દશાપ્રતિ ગમન કરે છે; અર્થાત્ આત્મા પેાતાના શુદ્ધસ્વરૂપને અંશે અંશે પ્રગટ કરે છે. એમ આત્મા પેાતાની શુદ્ધ તાની વૃદ્ધિ કરે છે. આનન્દઘન કથે છે કે, ચેતન ! આ પ્રમાણે તમે પેાતાનું શુદ્ધસ્વરૂપ વિચાર, For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy