SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૧ ) यावत् तृष्णा मोह हे तुमको, तावत् मिथ्याभावो ॥ खसंवेद ज्ञान लहि करवो, छंडो भ्रमक विभावो. ॥चेतन० ॥३॥ समता चेतनपतिकुं इणविध, कहे निज घरमें आवो ॥ आतम उछ सुधारस पीये, सुख आनन्दपद पावो. ॥ चेतन०॥४॥ ભાવાર્થ –આનન્દઘનજી કયે છે કે, હે ચેતન! જ્યાંસુધી તને તૃષ્ણ અને મેહ છે ત્યાં સુધી ચારિત્ર નયની અપેક્ષાએ મિથ્યાભાવજ છે. પરના સંબન્ધની પ્રાપ્તિની તૃણું મનમાં રહે છે ત્યાં સુધી, કદી ખરી શાન્તિ મળી શકતી નથી. તૃષ્ણ રાક્ષસી, જીવોના ભાવ પ્રાણને ચુસી ખાય છે. તૃણુના અનેક ભેદ છે. ધનની તૃષ્ણ, પુત્રની તૃષ્ણ, કીર્તિની તૃષ્ણ, માનની તૃષ્ણ, પ્રતિષ્ઠાની તૃષ્ણ, પુત્ર અને પુત્રી આદિની તૃષ્ણા, પાંચ ઇનિદ્રના ત્રેવીશ વિષયની તૃણું, દેવતાઈ ભોગ ભેગવવાની તૃષ્ણ, પરિવારની તૃષ્ણ, ઘરબારની તૃષ્ણ, મનાવા પૂજાવાની તૃષ્ણા, સત્તાની તૃષ્ણા, ઈલકાબની તૃણું, વગેરે તૃણુના અનેક ભેદમાંથી ગમે તે જાતની પરવસ્તુ સંબધી તૃણું એ મિથ્યાત્વ ભાવ છે. પિતાને જે ભાવ ન હોય તેને પોતાનો કલ્પવો તે મિથ્યા ભાવ જાણ. સ્વસંવેદન જ્ઞાન એટલે જે જ્ઞાનવડે આત્માના સ્વરૂપની પ્રતીતિ થાય; તેવા પ્રકારનું આત્મસાન કરીને ભ્રમક વિભાવને ત્યાગ કરવો યોગ્ય છે. ભ્રમક વિભાવ દશાને ત્યાગ કરે એજ મુખ્ય કર્તવ્ય છે. ક્રોધ કરવો, માન કરે, ભાયા કરવી, લેભ કરે, નિન્દા કરવી, ભોગની ઈચ્છા કરવી, મમતાના વિચાર કરવા, હિંસા, જૂઠ, ચારી, પરિગ્રહ અને ઈષ્યના તેમજ સ્વાર્થના વિચાર કરવા ઈત્યાદિ સર્વ પરભાવ છે. હે ચેતન ! એક ઘડી પણ પરભાવથી રહીત નીકળી તે મહત્સવ સરખી તેને માન ! આનન્દઘનજીના હૃદયમાં રહેલી સમતા પોતાના શુદ્ધ ચેતનસ્વામીને આ પ્રમાણે કથે છે અને કળે છે કે, હે ચેતન સ્વામિન્ ! પિતાના અસંખ્યાત પ્રદેશરૂ૫ ઘરમાં આવીને સ્થિર થાઓ. હે ચેતન ! પરભાવ રમણતારૂપ વિષને ત્યાગ કરીને શુદ્ધ રમતારૂપ અમૃત રસનું પાન કરે; હવે એક શ્વાસે છાસ પણ નકામે ગુમાવે નહીં. સુખનું સ્થાન એવું પરમાત્મપદ પામો. સમતા કળે છે કે, હે ચેતન ! હવે તમે મમતાને ત્યાગ કરીને પોતાના ઘરમાં આવશે. જડવતુ સંબન્ધી વિકલ્પ સંકલ્પ કરવો ગ્ય નથી. પરવસ્તુને ઘોર નિદ્રાની પેઠે વિસારી દે અને શુદ્ધ ધર્મમાં એક સ્થિર ઉપયોગથી લક્ષ્ય રાખે. એમ શ્રી આનન્દઘન કથે છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy