SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૧ ) યાના લેકે ગમે તેના પર ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળી ટીકા કર્યા વિના રહેતા નથી. દુનિયાના બોલ્યા પર જે લક્ષ્ય આપવામાં આવે તે કે પણ કાર્ય થઈ શકે નહિ. તીર્થકરે સંબધી પણ દિવાની દુનિયા એકસરખો અભિપ્રાય ધરાવી શકતી નથી. એક વિદ્વાન કહે છે કે તું તારું કાર્ય કરે જ, અન્યની ટીકાથી તારું કાર્ય છોડીશ નહિ; જે તારા હૃદયમાં તે કાર્ય સારું અને પરિણામે હિતકર લાગે છે તો દુનિયાની ટીકાને તારે શામાટે સાંભળવી જોઈએ. એક અધ્યાત્મજ્ઞાની તો એટલા સુધી લખે છે કે જગતના લોકોની ટીકાથી કઈ બો નથી, માટે તારે પિતાના કાર્યમાં જ લક્ષ આપવું જોઈએ. એક મહાત્મા જણાવે છે કે, જેનાપર કઈ ટીકા કરતું નથી, તેની મહન્તમાંગણતરી છે કે નહિ તે નક્કી કહી શકાય નહિ. સૂર્યના ઉદય પૂર્વ કાગડાઓ કાકા શબ્દો કર્યા કરે છે, તેથી કંઈ સૂર્ય, ઉગવાનું કાર્ય બંધ કરતા નથી. એમ મનમ આશય લાવીને સમતા પિતાના મિત્ર અનુભવને દર્શાવે છે કે, ભલે દુનિયા ગમે તેમ કહે પણ મારે તે મારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવ પ્રાણના પતિ–એવા આત્મસ્વામિનું કામ છે; મારા કાર્યનું પ્રજન જે ન જાણી શકે, તે મારી નિન્દા કરે તો તેમાં મારું શું જાય છે? કહ્યું છે કે, I કો नवेत्ति योयस्य गुणप्रकर्ष, सतस्यनिन्दा प्रकरोतिनित्यं, किरातकन्या करिकुम्भजातं मुक्ताफलं त्यज्य बिभर्ति गुजां ॥ १ ॥ જે જેને ગુણ જાણતો નથી, તે તેની નિન્દા કરે છે-ભિલ્લની કન્યા કરિયુંભસ્થળથી ઉત્પન્ન થએલ મુક્તાફળ(મોતિ)ને ત્યાગ કરીને ચણોઠીને ગ્રહણ કરે છે, તેમ જગતના લોકે અજ્ઞાનના ક્ષેત્રે ગમે તેવી નિન્દા કરે છે, માટે મારી પણ જગતના લેકે ગમે તેવી રીતે ટીકા કરે તો પણ મારે મારા પ્રાણપતિને મળવાનું કાર્ય ત્યજવાનું નથી. મોટા મોટા મુનિવરેની પણ દુનિયા ટીકા કર્યા કરે છે, તેથી મુનિવરે પિતાનું આત્મધર્મ પ્રાપ્તિનું કાર્ય તજી દેતા નથી. કેઈએમ કહે કે, આત્મામાં કંઈ સાર નથી, આત્માની પ્રાપ્તિ માટે સંસાર છોડી દેવે એ મૂર્ણપણુનું લક્ષણ છે, આત્માની પ્રાપ્તિ થાય તે શું અને ન થાય તેય શું? ઈત્યાદિ દુનિયા ગમે તેવું અઘટતું બેલે તોપણ મારા આત્મપતિને છોડવાની નથી. કેઈ એમ કહે કે તારે ચેતનસ્વામી બ્રાન્ત બની ગયો છે, તને મ્હાતો નથી, તારા ઉપર દ્વેષ ધારણ કરે છે, ઈત્યાદિ વાક બોલે તે પણ મારે તે મારા ચેતનસ્વામીને મળવું જોઈએ. કોઈ એમ કહે કે, સ્ત્રીએ પુરૂષ પર આટલો બધે પ્રેમ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy