SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૦ ) આ જગત્ની કહેણી ખરેખર સત્ય છે અને તેથી મારાથી મારા સ્વામી ભેદભાવ રાખીને વિભાવ દશારૂપ અન્ય સ્ત્રીની સંગતિથી પુદ્ગલ એંઠને આસ્વાદવા, ભિક્ષુકની પેઠે, ત્રણ ભુવનના નૃપ છતાં પ્રયત્ન કરે અને મારાથી ભિન્નતા રાખે તેમાં કેને મુખ નીચું ઘાલવું પડે ? તેને જરા વિચાર કરે ! મારી સાથે દ્વિધાભાવ ૨ખાવનાર વિભાવ દૃષ્ટિ છે. જે તેને તે તજી દે તે મારી અને તેમની અદ્વૈતતા થઈ જાય એમાં જરામાત્ર પણ શંકા નથી. મારી સાથે દ્વિધાભાવ રાખવાથી તેમની અને મારી બન્નેની શોભા નથી અને અનન્ત સહજ સુખને ભોગ પણ નથી, માટે હે અનુભવ ! તમે કૃપા કરીને મારા ચેતન સ્વામિને સમજા. મારી અને તેમની અદ્વૈતતા કરી આપે, કે જેથી બન્નેનું એક્ય થવાથી પરમામદશા પ્રગટ થાય. અનુભવે શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી અને તેણે આત્માની પાસે ગમન કર્યું; આત્માની પાસે જઈને આત્માને શુદ્ધચેતનાનું સર્વ થન સંભળાવ્યું અને આત્માને શુદ્ધ ચેતના સમ્મુખ કર્યો અને વિભાવ દશાને સંગ તજા. આત્મપતિ, પિતાની સત્ય સ્ત્રી-શુદ્ધતનાના ગૃહમાં ક્ષાયિકભાવે ત્રયોદશમ ગુણસ્થાનકમાં આવ્યા. કેવલજ્ઞાન અને કેવલ દર્શનરૂપ ક્ષાવિકભાવની શુદ્ધચેતનાને ભેટયા. આત્માનું અને શુદ્ધચેતનાનું ઐક્ય થઈ ગયું. આનન્દના ઘનભૂત ચેતન જ્યારે શુદ્ધચેતનાના ગૃહમાં આવ્યા ત્યારે અત્તરના ક્ષાયિકભાવના સદ્દગુ. ની વસન્તઋતુ ખીલી ઉઠી. આત્માના અસંખ્યાત પ્રદેશ સમયે સમયે અનતગણું સુખ પ્રગટવા લાગ્યું. આત્મા તે પરમાત્મારૂપ છે. સદાકાળની અન્તરની ક્ષાયિકભાવ સદ્ગુણેની વસન્ત ઋતુના અનન્ત સુખમાં બન્નેનું સદાકાલનેમાટે ઐકય થયું, એમ શ્રી આનન્દઘનજી કહે છે. પર ૧૨. (રા વાચાળ). मोकू कोउ केसी हूतको, मेरे काम एक प्राण जीवन । और भावे सो बको॥ મોટા ? ભાવાર્થ–સમતા કહે છે કે, ભલે કોઈ ગમે તેવી રીતે મને ધૂત્કારે, પણ મારે તે મારા પ્રાણજીવન એવા આત્મસ્વામિનું જ કામ છે-દુનિયામાં અન્ય લેક મનમાં આવે તે બકે અર્થાત્ બબડા કરે, પણ મારે તે તરફ જવાનું નથી; મારા પ્રાણજીવનની પ્રાપ્તિ માટે હું ગમે તેમ કરીશ. દીવાની દુનિયાના બેલ ઉપર લક્ષ્ય આપવાનું નથી. દુનિ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy