SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) ઇચ્છા હોય તેણે વિશેષાવશ્યક, તત્ત્વાર્થ, તથા અયજ્જત પરમાત્મજ્યોતિ વગેરે ગ્રન્થા વાંચવા અગર સાંભળવા. શબ્દ પણ જડ છે. કેટલાક ‘“રાવસ્તુળમાંજારમ્,” શબ્દ, આકાશના ગુણુ છે એમ કહે છે પણ તે ચેાગ્ય નથી. સ્વાઢાવરતારાવતારવા અને સમ્મતિતી વગેરેમાં શબ્દ, આકાશના ગુણ નથી એમ અનેક પ્રમાણેાથી મતાવ્યું છે. ટેલીફેાન વગેરેમાં શબ્દોની એક સ્થાનથી અન્યત્ર ગતિ થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે, માટે અરૂપી એવા આકાશના શબ્દ ગુણ નથી. આકાશ અક્રિય છે અને શબ્દ તે ગતિ કરે છે માટે તે પુદ્ગલવ્ય સ્કંધરૂપ છે, એમ અવબેધવું. સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ઉપાધિ ભેદથી શબ્દના ત્રણ પ્રકાર થાય છે. શબ્દવર્ગાનું વિશેષ સ્વરૂપ વિશેષાવયકમાં છે. તેમજ તેનું કિંચિત્ સ્વરૂપ અમાયત સવિસ્તુમાં છે. પુદ્ગલદ્રવ્યરૂપ શબ્દ હોવાથી શબ્દથી ભિન્ન આત્મા છે. આત્માને વાચક શબ્દ છે તેથી શબ્દ પણ અપેક્ષાએ બ્રહ્મ કહેવાય છે. શસ્ત્રક્ષ એ નામથી વેદાંતિયા શબ્દને માને છે અને પૂજે છે. શબ્દ એ ભાવદ્યુતનું કારણ હેટવાથી દ્રષ્યશ્રુતરૂપ છે અને ભાવદ્યુતની કારણુતાથી જૈના પણ શબ્દરૂપ શાસ્ત્રને નમે છે અને પૂજે છે. પણ અત્ર કહેવાનું એ છે કે શબ્દરૂપ આત્મા નથી, માટે શબ્દવૃન્દથી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય કરવેશ. ઘાસ જેનાપર ઉગે છે એવી પૃથ્વી પણ હું આત્મા નથી, તેમજ વે. ષથી પણ હું ભિન્ન છું, વેષને ધારણ કરનાર તેા શરીર છે, પણ હું આત્મા વેષને નિશ્ચય ધારણ કરતા નથી, તેમજ માહ્યવસ્તુને હું કર્તા નથી અને કરણી-ક્રિયા તેથી પણ હું ( આત્મા ) ભિન્ન છું. नहीं हम दरसन नहीं हम परसन, रस न गंध कछु नाहीं । આનથન વેતનમય મૂતિ, સેવ નન હિ ગાદી ાત્રાણા • ભાવાર્થ.—હું દર્શન નથી; સાત નયમાંથી એકેક નયને (એકાંતે) માનીને જે દર્શન ઉત્પન્ન થયાં છે તરૂપ હું નથી. સંગ્રહાદિ એકેક નયથી ઉત્પન્ન થએલાં દર્શને તે સાગરમાં ઉઠેલા તરંગે જેવાં છે. તરંગોના સાગરમાં સમાવેશ થાય છે પણ સાગરને તરંગમાં સમાવેશ થતે નથી. આત્મરૂપે સાગરનાં અન્ય દર્શન તે બિન્દુરૂપ છે, માટે તેમાં સંપૂર્ણ સાગરરૂપ આત્માને સમાવેશ થાય નહીં. અનેકાન્ત દર્શનરૂપે સાગરમાં અન્ય સર્વ દર્શનાનેા સમાવેશ થાય છે, માટે એકાંત એકેક નયથી ઉત્પન્ન થએલ દર્શને તે સંપૂર્ણ આત્મારૂપ નથી. કાળેા, અને પીલા વગેરે વર્ણ તે હું આત્મા નથી. ભારે, હલકા, ઉષ્ણુ, શીત, ચીકણા, લુખેા, સુવાળા અને અરસટ એ આઠ પ્રકારના સ્પર્શે છે, તેથી આત્મા ભિન્ન For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy