SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨) દૃષ્ટિથી અને પેાતાનામાં પિતાનું અહંત્વ કલ્પીને વ્યર્થ અનેક પ્રકારની ઉપાધિયા, શાક, ચિન્તા અને રાગ વગેરેથી દુ:ખી થાય છે, આત્મા કોઇના પિતા નથી. સાંસારિક સંબંધોને ખરા માનીને મૂળ સ્વરૂપ આત્મા ભૂલે છે અને તેથી રાગ અને દ્વેષમાં ફસાય છે. પુત્રોની ઉપર માહ ધારણ કરે છે, તેથી આત્મા પેાતાનું મૂળ સ્વરૂપ નિહાળી શકતા નથી. આત્માને કોઈ ઉત્પન્ન કરનાર નથી, તેથી આત્મા કાઇનેા પુત્ર નથી; છતાં માહના ચેાગે આત્મા પોતાને અમુકના પુત્ર કલ્પે છે અને તેથી પોતે ભ્રાંતિના વશમાં પડે છે, પિતાની ઉપર મમતા રાખીને પેાતાનું મૂળ સ્વરૂપ શોધી લેતા નથી. હું અમુકનેા પુત્ર છું, અમુક મારે પિતા છે, તેવિના અન્યાના સંબંધથી ભિન્ન છું એમ સંકુચિત તે જગત્ના સર્વ પ્રાણીઓને પેાતાના આત્મવત્ માની શકતા નથી. પેાતાને પેાતાના શુદ્ધસ્વરૂપે આળખતા નથી, તેથી જગતના પદાર્થોમાં અહં અને મમત્વથી આત્મા બંધાય છે. આત્મા કોઇના સહેાદર ભ્રાતા નથી, શરીરના સંબંધથી અમુકને ભ્રાતા કલ્પવા અને શરીરના સંમધથી અમુકને ભગિની કલ્પવી એ પણ વસ્તુત: વિચારતાં ભ્રાંતિ છે. પેાતાના આત્મવત્ સર્વ આત્માએ છે. શરીર અને જ્ઞાતિ વગેરેના આરોપથી આત્માને ખરાખર અવબાધી શકાતા નથી. ખાદૃષ્ટિ ધારકા શરીર આદિના આરેાપ આત્મામાં કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માનેજ આત્મરૂપે અવબાધે છે, તેથી તેઓ આનન્દઘનનું નામ રાખી શકે છે. ખાદ્યવસ્તુ જડ છે, તેથી તેમાં આત્માનું કંઈ પણ નથી. જેઓ ઉપર કથ્યા પ્રમાણે આત્માનું સમ્યક્ સ્વરૂપ જાણે છે તેજ આનન્દઘન સ્વરૂપ અવબેાધવા સમર્થ થાય છે. नहीं हम मनसा नहीं हम शब्दा, नहीं हम तरणकी धरणी । નદી દમ મેલ મેવધર નાદ્દી,નહીં ઢમ જતા રળીયાત્રવધુ।૦૩॥ ભાવાર્થ.—શ્રીમદ્ આનન્દઘનજી નીચે પ્રમાણે અવબાધે છે. હું મન નથી. મનના બે ભેદ છે. ૧ દ્યમન, અને બીજું ભાવમન. દ્રવ્યમન, વર્ગણાનું બનેલું છે અને વિચારમય ભાવમન છે. દ્વાદશમા ગુણસ્થાનક પર્યન્ત ભાવમન છે અને દ્રવ્યમન તે ત્રર્યાદશમાં ગુણસ્થાનકમાં પણ હોય છે. પાંચ અનુત્તવિમાનના દેવતાના પ્રશ્નનાના ઉત્તર શ્રી કેવલભગવાન્ દ્રવ્યમનને અમુક અક્ષર સંસારૂપે પરિણમાવીને આપે છે. મનથી આત્મા ભિન્ન છે. જેમ જેમ મનેાદ્રવ્યની શુદ્ધતા થતી જાય છે તેમ તેમ ઉત્તમ શુદ્ધ લેયા પ્રગટે છે અને ભાવમન પણ ઉચ્ચ પ્રકારનું થાય છે. મનસંબંધી વિશેષ જાણવાની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy