SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) મઠની ક્રિયાઓ કરીને એકાંતે પોતાની માન્યતામાંજ સત્ય સમાયેલું છે, એમ કદાગ્રહથી બંધ કરે છે. જટાને ધારણ કરનારા મતવાળા બાવાએ પિતાના પક્ષમાં રાચી રહ્યા છે. લાકડીના પટ્ટા અને ચીપીયા વગેરેને ધારણ કરનારાઓ પોતાના મતમાં રાચી રહ્યા છે અને પોતાનો મત સ્થાપન કરવા તેઓ અનેક યુક્તિ કરે છે. છત્રને ધારણ કરનાર છત્રપતિ રાજાઓ પોતપોતાના પક્ષમાં કદાગ્રહ કરીને રાચી રહ્યા છે અને રાજ્યસત્તાના તેરમાં અહત્વ ધારણ કરીને પિતાને કક્કો ખરો કરવા અનેક પ્રકારના જુલમ કરે છે. પોતે લીધેલી રાજહઠને મૂકતા નથી. એક લાખ સ્વામી-અહંકારી મનુષ્ય-એક શેર દારૂ પીધા જેટલી ઘેન પિતાના મગજમાં રાખે છે, ત્યારે છત્રપતિ રાજાઓ કે જેઓ અહંકા૨માં મસ્ત બન્યા છે અને જેના ખભે આંખો આવી છે તેઓ માયાના છાકમાં છાકી જઈને રામને ઓળખવાના અધિકારી શી રીતે બની શકે? છત્રને ધારણ કરનાર કેટલાક મઠના મહન્ત અને સન્યાસીઓ પિતાના પક્ષમાં ઉગ્ર અભિમાન ધારણ કરનારાઓ અલક્ષ્ય સ્વરૂપમય રામને ઓળખી શકતા નથી. મત કદાગ્રહના ગે પોતપોતાના મતમાં મતધારિ રાચી માચી રહ્યા છે. आगम पढी आगमंधर थाके, माया धारी छाके ।। દુનિયાંવાર યુનીસૅ રાજે, વાસા સર કરાશે. | ૨ | ભાવાર્થ-કેટલાક આગમને ભણનારા આગમ ધરે પણ થાક્યા; અર્થાત પોતાના પ્રમાદના યોગે આગમ ભણુને પણ જે સાર ખેંચીને રાગદ્વેષની મન્દતા કરવાની હતી તે કરી નહીં અને મમત્વયોગે ગચ્છના ભેદે એકાતે ખંડનમંડનમાં પડીને આગમોના આધારે જેવી રીતે ચાલવાનું હતું તેવી રીતે ચાલી શક્યા નહીં. સર્વજ્ઞકથિત આગામેનું પરિપૂર્ણ પ્રામાણ્ય છે, તે આગમોનો અભ્યાસ કરીને સમકિતપૂર્વક પોતાના આત્માને અનુભવ મેળવીને અન્તરદષ્ટિ ધારણ કરવી જોઈએ અને ચારિત્રમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી જોઈએ, ઇત્યાદિ ફળ ન બેસાડયું તે આગમ ભણીને થાકવા જેવું કર્યું કહેવાય છે, તેમાં આગમન દેષ નથી કિન્તુ તે પ્રમાણે ન વર્તે તેને દોષ છે. શુદ્ધાત્માસ્વરૂપની પ્રાપ્તિ કરવી તેજ આગમાની શિક્ષા છે. માયાને ધારણ કરનારાઓ માયામાં છાકી ગયા છે. માયા મહાદેવીએ જગતના સર્વ જીવોને પિતાના કબજામાં લીધા છે. બાજીગર જેમ પૂતળીઓને નાચ નચાવે છે, તેમ માયા સર્વ જીવોને નાચ નચાવી રહી છે. જો માયાના વશમાં વર્ત છે અને કસાઈના બકરાની પેઠે મનમાં ફુલાય છે, એ પણ એક ભ. ૧૦ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy