SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir पांच तले है दुआ भाइ, छका तले है एका । सब मिल होत बराबर लेखा, यह विवेक गिनवेका. प्रा० ॥३॥ ભાવાર્થ.—પાસા ઉપર પંજા નીચે ટ્રુએ છે અને છક્કાની નીચે એકા છે. આ સર્વને મેળવતાં ખરાખર સંખ્યામાં ચતુર્દશ થાય છે. પાંચને અર્થ પાંચ ઇન્દ્રિય લેવી. તેના જેણે જય કર્યા તે રાગદ્વેષરૂપ દુઆને પણ જય કરે છે અને તે છ લેયાના પણું જય કરે છે અને છ લેયાને જય થતાં મન પણુ સ્વયમેવ જીતાય છે. બીજી રીતે આત્મા, અનંતાનુબંધી કષાય, અને અપ્રત્યાખ્યાની કષાય એ એ પ્રકારના કષાયને જીતીને પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને પછી તેમાં બે ગુણસ્થાનક ઉમેરવામાં આવે તે સાતમા અપ્રમત્તગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી આગળ પ્રયત્ન કરે તેા ઉપરનાં છે. ગુણસ્થાનક ઉલ્લંઘીને તેરમા સયાગી કેવલીગુણસ્થાનકુમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરે છે; ત્યાંથી પછી એક ચઉદમું સ્થાનક ફક્ત બાકી રહે છે તેને પામી પરમાત્મા સિદ્ધ, બુદ્ધ, થાય છે. આ પ્રમાણે ગણવાના વિવેક અન્તરમાં ઉતારવેા. પાંચ અત્રતને રાગ અને દ્વેષ એ એથી સેવવામાં આવે તે નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સભ્રંમપચેન્દ્રિયતિર્યંચ, ગર્ભજપંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્યગતિ, અને દેવગતિ એ સમગતિમાં આત્માને પરિભ્રમણ કરવું પડે છે, પણ અષ્ટમી મોક્ષગતિની પ્રાપ્તિ થતી નથી. તેમજ ષટ્કાયની હિંસારૂપ એક અસંયમને સેવવામાં આવે છે તે, નપુંસકવેદની એકતિ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, તીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને નરક એ નપુંસક ગણાય છે) પંચેન્દ્રિયતિર્યંચમાં સ્રીપુરૂષની બે ગતિ. પચેન્દ્રિય મનુષ્યજાતિમાં પુરૂષ અને સ્ત્રીવેદની બે ગતિ. તેમજ દેવતામાં એ ગતિ એમ સપ્તગતિમાં આત્મા પરિભ્રમણ કરે છે એ પ્રમાણે પણ અપેક્ષાએ વિવે કથી ગણુતરી કરવી. चउरासी माचे फिरे नीली, स्याह न तोरी जोरी । लाल जरद फिर आवे घरमें कबहुंक जोरी विछोरी. प्रा० ॥४॥ ભાવાર્થ.—કૃષ્ણ, નીલ, કાપાત, તેજે, પદ્મ, અને શુકલ આ છ લેયાઓનાં નામ જાવાં. મનદ્વારા થતા આત્માના પરિણામ ( અવસાય )ને લેયા કહેવામાં આવે છે. છ લેયા મનની સહચારી ૧ તોરે એવા પણ વિનયનની પ્રતિમાં પાઠ છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy