SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ). સંસારબાજી જીતવા માટે પ્રયત્ન કરે છે. વિવેકદ્રષ્ટિથી શુદ્ધસ્વરૂપને ઉપગ રાખીને ચેતના થે છે કે મારે ચેતનસ્વામી પટની બાજી ખેલે છે, દબુદ્ધિના પ્રપંચોનો નાશ કરે છે અને સહજ લાભની પ્રાપ્તિરૂપ રસથી રસીલે બની સંસારબાજી જીતવા જ લક્ષ્ય આપે છે. राग दोष मोहके पासे, आप बनाए हितकर ॥ जैसा दाव परे पासेका, सारी चलावे खिलकर. प्रा० ॥२॥ ભાવાર્થ-અનાદિકાળથી રાગ, અને શ્રેષના પાસાને આત્માએ સ્વયં હિતકર જાણુને બનાવ્યા છે. અને જેવા પાસાના દાવ પડે છે તથા ખેલ રમનાર કર્મ ખેલાડુ સ્વયં સેગટીને ચલાવે છે. પરવસ્તુમાં ઈષ્ટપણાની બુદ્ધિથી રંગાવું તે રાગ જાણવો. પરવસ્તુપર અનિષ્ટ પરિણામ થાય છે તેને દ્વેષ કહે છે. મિથ્યાત્વના ઉદયે જ્ઞાન પણ અજ્ઞાનરૂપ ગણાય છે. દર્શનાહનીયના અભાવે ચારિત્ર પણ કર્મને નાશ કરવા સમર્થ થતું નથી. અજ્ઞાનના સમાન અન્ય કઈ શત્રુ નથી. અજ્ઞાની પશુના આત્મસમાન છે. અજ્ઞાનથી આત્મા પોતાના શુદ્ધસ્વરૂપ સમ્મુખ થઈ શકતો નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના મુક્તિમાર્ગપ્રતિ પ્રયાણું થતું નથી. આત્મામાં જે જે અંશે તીવ્ર, તત્રતર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ, પરિણામની ધારાએ રાગ અને દ્વેષ થાય છે તે પ્રમાણે કર્મરૂપ ખેલાડી ચતુર્ગતિરૂપ ચોપટપર આ માને ફેરવે છે. રાગ દ્વેષ અને અજ્ઞાનના પાશામાં જ્યાં સુધી આત્મા સંબંધવાળે છે ત્યાં સુધી તે સદાકાળ રસંસાર પટપર પરિભ્રમણ કર્યા કરે છે. પરવસ્તુમાં ઈષ્ટબુદ્ધિથી રંગાવું તેને રાગ કહે છે. રાગની દશાને એકદમ નાશ થઈ શકતો નથી, તેમજ દ્વેષપરિણતિને પણું એકદમ નાશ થતું નથી. રાગદ્વેષને નાશ કરવા માટે આત્મતત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે. જે જે વસ્તુઓ પર રાગ અને દ્વેષ થાય તે તે વસ્તુ ઓનું સૂમસ્વરૂપ વિચારવાથી રાગ અને દ્વેષ મન્દ પડે છે. રાગ અને દ્વેષને નાશ કરવા માટે ક્ષણે ક્ષણે આત્માને ઉપયોગ રાખો. જે વખતે આત્મા પિતાના શુદ્ધસ્વરૂપનો ઉપયોગ ધારણ કરે છે તે વખતે રાગ અને દ્વેષ પ્રગટી શકતું નથી. રાગ અને દ્વેષવડે આ સંસારની બાજી સદાકાલ ચાલ્યા કરે છે. રાગ અને દ્વેષના બળવડે રસંસાર છે. ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરાવનાર રાગ અને દ્વેષ છે, માટે સંસારરૂપ ચોપટની બાજી જીતવી હોય તે રાગદ્વેષને જીતવા જોઈએ, એમ અન્તરમાં સમજવું. ૧ હિતધર એવો પણું વીરવિજ્ઞાન ની પ્રતિમાં પાઠ છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy