SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. અમે તેમ હોય, તોપણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી, ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષુઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રોમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાધ, સીતાનવાલ અને એલોરાની જૈન (દિગંબ૨) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં પણ (કે જ્યાં બે જાતનાં ભિત્તિચિત્ર છે, એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો પર) નથી. દિગંબર જૈન મુર્તિઓને વધારાનાં ચક્ષઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે શ્વેતાંબરો શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે શ્વેતાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના પૈષ્ણવ ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ કર્યું નહિ કે મિ. ઘોષ કહે છે તેમ પિતાની સ્વાભાવિક ઈચ્છાથી. પણ જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી તે રીતને તેઓ અનુસર્યા હોય તે જ વધારે યુકિતસંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોના ચહેરાઓ બીજા એવાં ચક્ષુવાળા હોય છે તે સઘળા વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલૂમ પડે છે. ટૂંકાણમાં, આ પ્રથાનું મૂળ શ્વેતાંબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષાની પ્રથા વેતાંબર મંદિરમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; પણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં ભળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયેવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છેઃ “એવાં ચક્ષુઓની પ્રથા કયારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૂર્તિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કૈડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સઘળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન સ્ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્ફટિક સી ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખાખ તૈયાર કરી તેને તેનાથી રસાવી તેની અંદર સટકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ પૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં) દેખાય છે. કેટલેક ઠેકાણે આજે મૂર્તિઓ પર ચક્ષુઓ ઍટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આલ્હાદકારી અને આત્મરમણતા તરફ વધુ ને વધુ ખેંચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યક્તા છે.’ વળી આ ચિત્રો મચ્ચેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં - આવા આકારનું, પુરના કપાળમાં છે આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy