SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૭૭ દેખાય છે. જમણી તરફની હાંસીઆના ઉપરના ભાગમાં એક સાધુ તથા નીચેના ભાગમાં એક નર્તકીની રજુઆત કરીને સ્થૂલભદ્રમુનિ અને કશાનો પ્રસંગ તાદશ કર્યો છે. પ્રાચીન ચિત્રની માફક આ ચિત્રમાં પણ સાધુનો એક ખભે ખુલ્લો તથા સાધ્વીઓનું આખું શરીર ગરદનની નીચેના ભાગથી આચ્છાદિત થએલું દેખાય છે. ચિત્ર ૨૨૪ શ્રી જંબુકમાર અને આઠ સ્ત્રીઓ. કાંતિવિ. ૧ ના પાના ૭૬ ની જમણી બાજુ ઉપરથી. ચિત્રમાં શ્રીજંબુકમાર લમની પ્રથમ રાત્રિએ જ પિતાની આઠે સ્ત્રીઓને સંસારની અસારતાને ઉપદેશ આપતા હોય એમ લાગે છે. આ સ્ત્રીઓ અને જેનુ કુમાર પોતે પણ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલાં દેખાય છે. ચિત્ર ૨૨ શ્રીયંભભટ્ટ અને જૈન સાધુઓ. કાંતિવિ. ૧ ના પાના ૭૬ ની ડાબી બાજુ ઉપરથી. એક દિવસે શ્રીપ્રભવસ્વામીએ પિતાની પાટે સ્થાપવાને ચગ્ય કોઈ પોતાના ગણમાં કે સંધમાં છે કે નહીં તે જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, પણ તેવો ચગ્ય પુરૂ દેખાશે નહી. તેથી પરતીર્થમાં ઉપગ મૂકતાં રાજગૃહ નગરમાં યજ્ઞ કરતે શવભટ્ટ તેમના જોવામાં આવ્યો. પછી તેમની પ્રેરણાથી બે શિષ્યા ત્યાં ગયા અને બેલ્યા કે: “૩રો જદમાં છું તરવું ન જ્ઞાચરે ઘર' એટલેંકે ખરેખર આ તો કષ્ટ જ છે, શ્રેષ્ઠ તવ કાંઈ જણાતું નથી ! ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના યજ્ઞના ચિત્રથી થાય છે. શયંભવભટ્ટ યજ્ઞ કરતા દેખાય છે અને બાજુમાં બે સાધુઓ ઉપરના શબ્દ બોલતા દેખાય છે' આ સાંભળીને યજ્ઞ કરતાં શખંભવભટે ગુને આ બાબતને ખુલાસે પૂછતાં યોગ્ય ઉત્તર નહી મળવાથી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વર્ણવેલે પ્રભવસ્વામી પાસે તત્ત્વની ચર્ચાનો પ્રસંગ જોવાનો છે. પ્રભવસ્વામી ભદ્રાસન ઉપર બેઠેલા છે. સામે ભવભક તત્વની ચર્ચા કરતાં પોતાને સંતોષકારક પ્રત્યુત્તર મળવાથી પ્રભવસ્વામી પાસે દીક્ષા લે છે. Plate LXX ચિત્ર ૨૬ શ્રી આર્યવને પયપ્રભાવ. કાંતિવિ. ૧ ના પાના 9% ની જમણી બાજુ ઉપરથી. ધનગિરિ અને તેમની માતા સુનંદા તુંબવન નામના ગામમાં રહેતાં હતાં. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી હતી. પાછળથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મતાંની સાથે પોતાના પિતાએ દીક્ષા લીધી છે એવું સાંભળ્યું કે તરત જ તેને જાતિસ્મરણશાન (પિતાના પૂર્વભવ સંબંધીનું જ્ઞાન) થયું. માતાને પોતાની ઉપર જરાયે મેહ ન થાય એટલા સારુ તે હમેશાં રડી રડીને માતાને કંટાળે આપવા લાગ્યા. તેથી તેમની માતાએ તે છે માસના થયા ત્યારે જ ધનગિરિને હરાવી દીધા. ધનગિરિએ તેમને પિતાને ગુરુના હાથમાં સોંપ્યા. ગુએ બહુ વજન હોવાને લીધે તેમનું વજ¢ એવું ગુણનિષત્ર નામ પાડ્યું. તે પારણામાં રહ્યા રહ્યા અગ્યાર અંગ ભર્યા. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy