SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાલાની કથા [ ૩૬૫ ] માતા-પિતાને પૂછવા લાગ્યા કે, “હું તમારા પેટથી ઉત્પન્ન થએલો પુત્ર છું કે બીજે? તેઓ સાચી હકીકત કહેતા નથી. ઘણા આગ્રહ અને દબાણથી પૂછયું, ત્યાર ખરેખરી હકીકત કહી. ત્યારપછી વેશ્યાને ત્યાંથી માતાને છોડાવ, સ્થાને સ્થાપના કરી. પ્રણામા નામની પ્રવજયા સ્વીકારી. ફરતે ફરતે તે કુમ ગામે આવી આતાપના લે છે. તેના મસ્તકની જટામાંથી સૂર્યકિરણોનો તાપ લાગવાથી જૂઓ ભૂમિ પર પડે છે. તાપસ નીચે પડેલી જૂઓને જીવદયાના પરિણામથી વળી તેને ગ્રહણ કરી ફરી પિતાના મસ્તક પર સ્થાપન કરે છે. તે દેખીને ગોશાળે ભગવંતની પાસે જઈને કહે છે કે, આ મુનિ છે કે મૂકાશય્યાતર છે ? વળી ગોશાળ પ્રભુની સાથે ચાલતાં ચાલતાં “તું મુનિ છે કે ચૂકાશય્યાતર છે?” એમ એક, બે, ત્રણ વખત કહ્યું, એટલે કોપાયમાન થએલા તે વિશ્યાયને તેને વધ કરવા માટે તે વેશ્યા છોડી તેની અનુકંપાથી પ્રભુએ શીતલેશ્યા છોડી, એટલે તેણે તેજલેશ્યા ઓલવી નાખી, તેને જાણીને ગશાળાએ ભગવંતને પૂછ્યું કે, “હે ભગવંત ! સંક્ષિપ્ત અને વિપુલ તેલેશ્યાવાળો પુરુષ કેવી રીતે થાય? ભગવંતે કહ્યું કે, “હે ગોશાક! છઠ્ઠને પાણે છઠ્ઠ લગાતાર-ઉપરાઉપરી કર્યા કરે, વળી આતાપના લે, મુઠ્ઠીમાં નખ સુધી સમાય તેટલા જ માત્ર અડદના બાકળા અને અચિત્ત એક ચાંગર્ભ જળ ગ્રહણ કરવાથી વિપુલ તેને વેશ્યા પ્રગટ થાય છે. આ અનુષ્ઠાનવિધિ ગોશાળાએ જાણી લીધો. હવે તે વિપુલ તેજલેશ્યાની સાધના કરવા માટે, હવે ફરી પ્રભુ પાસે ન આવવા માટે ભગવાન પાસેથી છૂટો પડી ગયે. છ માસના તપકમ કરીને તેલેરયા સિદ્ધ કરી. પરીક્ષા કરવા માટે કૂવાના કિનારા પર રહેલી દાસી પર પ્રયોગ અજમાવ્યો એટલે તે બિચારી બળી ગઈ. પિતાને સિદ્ધ થઈ છે, તે પાકે નિશ્ચય થયો, એટલે પૃથ્વી-મંડળમાં ઈચ્છા પ્રમાણે સ્વછંદ કરવા લાગ્યો. હવે કઈક સમયે પાર્શ્વનાથ ભગવંતની પરંપરામાં થએલા શિથિલ આચાર પાળતા અષ્ટાંગનિમિત્તના તત્વના જાણકાર ઉછુંખલપણે ભ્રમણ કરતા દિશાચરે ગોશાળા સાથે ભટકાયા. તેઓએ શાળાને અષ્ટાંગ નિમિત્ત લેશમાત્ર શીખવ્યું. તે વિદ્યાથી ગોશાળા લોકોને ભૂત, ભવિષ્ય જણાવતે લોકોમાં પ્રસિદ્ધિ પામ્યો. વળી સ્વભાવથી જ તેની દુષ્ટ શીલતાને પાર કે પામે ? વળી તે પાપાસક્તને વિદ્યાતિશય પ્રાપ્ત થયા, એટલે શું બાકી રહે? કાલસર્ષ સ્વાભાવિક ક્રોધીલે તેજસ્વી હોય છે, તેમાં વૃદ્ધિ પામતા ઝેરવાળાને ઔષધપાન કરાવીએ, તે તેના પ્રકમાં વાત જ શી કરવી ? વ્યવહારમાં “એક તે વઢકણ હતી, તેમાં દીકરો જ, પછી તેમાં વઢવાડ વૃદ્ધિ જ પામે.' તેમ ગોશાળ અટકચાળો હતો જ, વળી તે વેશ્યા અને અષ્ટાંગ નિમિત્ત કંઈક મેળવ્યું, પછી તેના અભિમાનની શી વાત કરવી ? પછી શાહમૃત ચંદ્રમા સરખા એકલા અધિક સુશોભિત અને નિર્મોહી ગોશા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy