SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વજ મુનિની કથા [ ૨૨૫ } જગવંત તે સર્વ લધિસંપન્ન હતા, એટલે ભિક્ષાચર્યામાં ઘી-ખાંડ-સહિત ઉત્તમ લીરની શિક્ષા એક પાત્રમાં વહેરી લાવ્યા. તેમની સમીપમાં આવીને અક્ષીણમહાનસી નામની લધિથી દરેક તા પેસેને જુદા જુદા પાત્રમાં પ્રથમ તેઓએ પારણાં કરાવ્યાં. પાછળથી પિતે તે પાવમાં પારણું કર્યું, ત્યારે તાપસને આશ્ચર્ય થયું અને તાપસો ભોજન કરતા કરતા વિચારવા લાગ્યા કે, ખરેખર આપણે ઘણું પુણ્યશાળી છીએ કે, “ આવા મહાનગુણવાળા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે, જેઓએ ઘી-સાકર-યુક્ત ક્ષીરથી પારણું કરાવ્યું.” આ પ્રમાણે અઠ્ઠમતપના પારણે સૂકાયેલી સેવાલનું ભજન કરનાર મહાતયવીએને કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થવાથી એકદમ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ખીરનું ભોજન કરતાં તેમને જે કેવલજ્ઞાન થયું, તેથી હું એમ માનું છું કે, “કેવલ અને કવલ બંનેમાં ભેદ નથી” એમ કરીને બંને સાથે આરોગી ગયા. અતિવિશિષ્ટ છઠ્ઠ તપના પારણે પાકેલાં સડેલાં પત્રનું ભક્ષણ કરનારા પાંચસો કૌડિન્ય નામના તાપસને સમવચરણમાં પ્રભુના છત્રાતિછત્ર આદિ શોભા દેખતાં દેખતાં અને દૈન્ય નામના પાંચસે. તાપને દેવાધિદેવની અતિશય વિચારતાં વિચારતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે માર્ગમાં ૧૫૦૦ તાપસને કેવલજ્ઞાન ઉત્પન થઈ ગયું. હવે આનદિત માનસવાળા ગૌતમ પ્રભુને પ્રદક્ષિણા આપવા લાગ્યા, તેઓ પણ તેમની પાછળ પ્રદક્ષિણા આપીને કેવલીઓની પર્વદામાં “નમ નિત્યમ્સ” એમ કહી બેસી ગયા. ગૌતમસ્વામીએ પાછળ જોયું અને તેને કહ્યું કે, “અરે! પ્રભુને વંદન કરે. ત્યારે પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! એ કેવલીઓની આશાતના ન કર, પશ્ચાત્તાપ કરતાં તેમને “મિચ્છા મિ દુક્કડ” આપ્યું. વળી અધૃતિ કરવા લાગ્યા કે, “હું આ જન્મમાં રિદ્ધિગતિ નહિં મેળવીશ, મેં દીક્ષા આપી તે તેઓ તત્કાલ કેવલજ્ઞાન પામ્યા. પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! દેવતાનું કે મારું વચન સત્ય હોય?' ગૌતમે કહ્યું કે, “જિનેશ્વરનું', તે પછી આટલી અધૃતિ કેમ કરે છે? ત્રણે ભુવનનું રક્ષ, કરનાર પ્રભુએ ચાર પ્રકારના પડદા વિષયક પ્રરૂપણા કરી. (૧) સુતળીના બનાવેલા, (૨) પત્રના બનાવેલા, (૩) ચામડાના બનાવેલા અને (૪) કંબલના બનાવેલ પડદા. આ પ્રમાણે ગુરુ ઉપર શિષ્યને ચાર પ્રકારને નેહાનુબંધ હોય છે. “ ગૌતમ! તને તે મારા ઉપર ઉનની કંબલના પડદા સમાન બને છે. તું મારા ઘણા કાળને નેહી છે, લાંબા સમયની પિછાણવાળ, દી કાળના પરિચયવાળે, લાંબા વખતના સંબંધવાળા, લાંબા સમયથી મને અનુસરનારો, લાંબા સમયથી ઉતરી આવેલા મોહવાળો તું ; છતાં પણ આ દેહનો જ્યારે વિનાશ થશે, એટલે આપણે અને એક સરખા થઈશું. હે ધીર-ગંભીર! નિરર્થક તું શોક-સંતાપ ન કર.” હવે ગૌતમને આશ્રીને તથા બીન મુનિઓને પ્રતિબદ્ધ કરવા માટે પ્રભુએ. ૨૯. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy