SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૯૨ ]. પ્રા. ઉપદેશમાલા ગૂર્જરાતવાદ હવે તમે ચિરકાર જીવતાં રહે.” આ સાંભળી તેને જીવ શાંતિ પામ્યા અને અદ્ધર હતે, તે શરીરમાં સ્વસ્થ થયા. ખુશ થયેલી તે પૂછવા લાગી કે, “હે પુત્ર! ત્યાંથી તું અહિં કેવી રીતે આવી પહોંચ્યો ?” કુમારે કહ્યું કે, “પ્રત્યક્ષ થયેલા કામદેવે વૃદ્ધપણામાંથી તરુણ થવાય તેવી ગુટિકાઓ મને આપી, ઉપરાંત પુષ્કળ ધન આપ્યું, તેણે જ મને અહિ લાવીને મૂકી દીધે. ઠીક હવે તમારે પાટા છોડે, જેથી હું તરવારના પ્રહાર કેવા વાગ્યા છે, તે જે અને સંરહિણી ઓષધિથી રુઝવી દઉં.” તે જ ક્ષણે કુટ્ટિણીએ કહ્યું કે, “તે કાર્યથી સયું. પાટા છેડવામાં આવે, તે તેની પીડા મારાથી સહન ન થાય. જે પાટાઓ એમને એમ કાયમ રાખી કંઈ પy ચિકિત્સા કરી શકાતી હોય, તો ઉપાય કર. હે વત્સ! આથી વાર બાલવા હું સમર્થ નથી.” એટલે કુમારે કહ્યું કે- “અપૂર્વ પ્રૌઢ યૌવન કરનાર ગુટિકાથી તિલક કરવામાં આવે તે વૃદ્ધત્વ અને પ્રહાર–વેદના બંને દૂર થાય, અને નવયૌવન પ્રાપ્ત થાય.” એટલે તેણે માગણી કરી છે, તેવા પ્રકારનો ઉપાય કર, જેથી તરુણીઓની વચ્ચે મારું રૂ૫ રેખા સમાન દેખાય અને નગરલોક મારું રૂપ દેખી આશ્ચર્ય પામે.” ત્યાર પછી કુમાર પણ તે ગુટિકાથી કુણિીના કપાળમાં તિલક કર્યું, એટલે તે જ ક્ષણે સ્કૂલ દેહવાળી ગધેડી બની ગઈ. તેના મુખમાં ચેકડું ચડાવીને તેની પીઠ પર ચડીને કુમાર લાકડી મારતા મારતો રાજમાર્ગમાં આવ્યા. રાજ્યની સહાયથી પાદુકાઓ, રત્ન વગેરે સમગ્ર જહદી મેળવી લીધાં. હવે માગધિકાએ રાજાને જઈને ફરીયાદ કરી કે, કોઈ દુષ્ટ ધૂત કુટિંણીને ગધેડી બનાવી સેટીથી નિદ્રયપણે માર મારે છે, એના ઉપર તે ચડી બેઠો છે, એની આકૃતિ લગભગ આપને મળતી છે.” રાજાએ પૂછયું કે, તે પૂતને કેટલા દિવસ થયા છે? તેનું રૂપ કેવું છે? કેટલી વયનો છે ?' માગધિકાએ કહ્યું, “હે પ્રભુ ! તમને રાજ્ય પ્રાપ્તિ અને મને આ પુરુષની પ્રાપ્તિ થઈ છે. તમારા જેવા જ અતિશય રૂપવાળ, તમારા કરતાં કંઈક નાની વયવાળા છે. ત્યારે રાજાએ જોયું કે, “તે ધૂત મારે નાનો ભાઈ જ છે.” રાજાએ માગધિકાને કહ્યું કે, “હું પિતે જ તે દૂતને શિક્ષા કરીશ.” જયકુંજર હાથી ઉપર બેસી રાજા ત્યાં ગયે. અતિ મોટી કાયાવાળી ગધેડી પર આરૂઢ થયેલ, લાખો લોકોની ચપળ આંખોથી જેવાતો હતો. પાસે જઈને પૂછ્યું, દેખતાં જ પ્રણામ કરી કહ્યું કે, “સનેહરહિત મહાધુર્તg સવાગત કરું છું. કલહ-ક્રીડામાં આનંદ માનનાર તારા સરખાને આવું ગધેડીનું વાહન શોભતું નથી, માટે અહિં મારા હાથી ઉપર આવી જા અને તારા અંગથી મારા અંગનું આલિંગન કર. ગધેડી બનેલી તે કુણિને પાપના પ્રાયશ્ચિત્ત રૂપે હોય તેમ રાજમાર્ગમાં બાંધીને રાખી. માર્ગમાં જતા આવતા કે તેના ઉપર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy