SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બીજી પૂર્વજોની કૃતિઓ જુદા પ્રાસાદે માં સ્થાપન કરી બીજા નવીન પ્રાસાદે કરાવી તેમાં ભાવી વીશ તીર્થકરનાં બિંબ સ્થાપન કર્યા. આ તીર્થમાં વિચિત્ર પ્રકારની વૈયશ્રેણી કરાવી હતી અને કામ સંપૂર્ણ થતાં શિલ્પી તથા ચિત્રકારોને તેણે સંતુષ્ટ કર્યા. શેત્રુંજી નદીની પૂર્વે માનપુર અને દક્ષિણે ભરતપુરમાં અનેક તળાવ, ઉદ્યાને સમેત શ્રી જગદીશન માટે પ્રાસાદ વકી રને ભરત મહારાજાની આજ્ઞાથી કર્યો. બ્રહ્મગિરિ તીર્થે સુરવિશ્રામ નામે યુગાદિ દેવનો ઉચ્ચ પ્રાસાદ ચક્રવર્તી ભરતે કરાવ્યો. શત્રુંજયથી નીચે બે જન મુનિઓના અગ્નિસંસ્કાર સ્થાને રત્નતિલક નામે જિનપ્રાસાદ ભારતે અને સમયશાએ કરાવ્યા. આ બંધુઓએ વડીલોના પ્રાસાદે પણ શિલ્પી વર્ધકી રત્ન પાસે કરાવ્યા. પછી તેઓ તાલધ્વજ ગિરિ ગયા. તાલધ્વજગિરિ પર તાલધ્વજ નામે દેવની ખડ્ઝ, દાલ, ત્રિશૂલ અને સર્પ ધારણ કરેલ એવાં મૂતિ સમયશાએ પધરાવી. ગિરનાર પર ભરત ચક્રવર્તીએ ભવિષ્યના નેમિનાથ પ્રભુને એક ઉંચે પ્રાસાદ “સુરસુંદર" નામે ચાર દ્વાર વાળે, ચારે તરફ અગિયાર અગિયાર મંડપથી શોભતા, બલાણુક ગોખ તથા તોરણેથી વિરાજતો કરાવ્યું. ઉદ્યાનવ મંડિત તે પ્રાસાદમાં પાંડુર નેત્રવાળી નીલમણિમય નેમિનાથની મૂર્તિ પધરાવી. મુખ્ય શિખરે ગિરનારથી એક જન નીચે પશ્ચિમ દિશામાં નેમિનાથને બીજે પ્રાસાદ બંધાવ્યું. ત્યાં સ્વસ્તિકાવતિક નામે પ્રાસાદ આદિનાથનો રચાવ્યા. ત્યાં આગળ ગજેન્દ્રપદ નામે કુંડ કરાવ્યો. ભરત મહારાજાએ આબુ પર્વત પર ત્રણે કાળના અહંતશ્રાસાદે રચાવ્યા. ત્યાંથી મગધ આવીને ઉભારગિરિ પર શત્રુંજય જેવું મહાવીરનું ઉત્તમ મંદિર શિલ્પી વધ કી રત્ન પાસે બંધાવ્યું. ત્યાંથી સમેતશિખર ગયા. ત્યાં વિશ તીર્થકરેના પ્રાસાદેની શ્રેણુ વધ કી રને ક્ષણ વારમાં કરી. ત્યાંથી ભરત મહારાજ અધ્યા પધાર્યા. શત્રુજ્યથી તાલાવજ થઈને કદંબગિરિ આવી ત્યાં ભાવી તીર્થકર શ્રીવર્ધમાન સ્વામીના માટે પ્રાસાદ વકી રત્ન પાસે કરાવ્યો. કદંબગિરિની પશ્ચિમે શત્રુંજય નદીને કાંઠે પ્રાસાદો કરાવ્યા. તેમ જ હસ્તિસેનગિરિ પાસે શત્રુંજયના બધા શિખરેટેકરીઓ પર પ્રસાદે બંધાવ્યા. અષ્ટાપદ પર ઋષભદેવના અગ્નિ સંસ્કારના સ્થાને ત્રણ મોટા સ્તૂપ કરાવ્યા. ચિતાની નજીકની ભૂમિ પર ભરત રાજાએ શિષી વકી રત્નની પાસે એક સુંદર પ્રાસાદ ત્રણ કેશ ઉો, એક જન લાંબે-પહોળો; ચાર કારવાળે તથા આગળ સ્વર્ગમંડપ જવા મંડપિયુક્ત સિંહ નિષદ્યા નામના પ્રાસાદ કરાવ્યો. તેની આગળ ઉંચે તૃપ તથા બીજા નાના સ્તૂપા બંધાવ્યા. સિહનિષદ્યા પ્રાસાદમાં રત્નમણિમય ચાર શાશ્વત અહંત પ્રતિભા આઠ પ્રાતિહાર્ચ સહિત સ્થાપી. તેમજ વર્ણસહિત ચાવીશ પ્રભુની પ્રતિમા દસ પૂર્વમાં, બે દક્ષિણે, ચાર પાશ્ચમ, આઠ ઉત્તરદેશમાં
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy