SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ पोठलक्षणाधिकार अ. ४ शानप्रकाश दीपार्णव शिरःपाली विना त्वेवं, कर्णपीठ तु कारयेत् । जाड्यकुंभः कणालिश्च प्रशस्तः सर्वकामदः ॥ २० ॥ ગજ--અશ્વ અને નરથરવાળું મહાપીઠ, અલ્પ દ્રવ્ય વ્યયથી મંદિર બાંધવામાં સંભવિત નથી. ત્યારે જા બે કણ અને ગ્રાસપટ્ટીવાળું “કામદ” નામનું (પાંચમા પ્રકારનું) પીઠ કરવું. અને તેથી પણ અલ્પ, ઉપરની ચાસપટ્ટી સિવાય જાડું અને કણી એમ બે થવાળું કણપીઠ (છઠ્ઠા પ્રકારનું પીઠ) કરવું તે સર્વ કામનાને આપનારું જાણવું. ૧–૨૦ ઉપર કહેલા માનથી પીડેદય ઓછું કરવાનું વિધાન अर्ध भागे त्रिभागे वा पीठ चैव नियोजयेत् । स्थानमानाश्रयं ज्ञात्वा तत्र दोषो न विद्यते ॥ २१ ॥ हीनद्रव्येऽधिकं पुण्यं तस्यानुक्रम युक्तिभिः । इदृशं कुरुते यस्तु सर्वकामफलमदः ॥ २२ ॥ ૧. સૂત્રસંતાન અપરાજીત અને પ્રાસાદમડન– સિ૫મમાં પીઠોધ્યના ત્રેપન વિભાગ કહ્ના છે. જા બે નવ ભાગ - ૯. કણ સાત ભાગ-૭, છ, ગ્રાસટ્ટી સાત ભાગ-૭, ગજથર બાર ભાગ-૧૨, અષથર દશ ભાગ-૧૦, અને નરથર આઠ ભાગ-૮; એમ કુલ ત્રેપન ભાગ ઉદય અને નિર્મમ ભાગ બાવીશ કહેલા છે. જયારે અહીં દીપાર્ણવમાં ચાર પ્રકારના મહાપીઠ અને કામક, અને કર્ણપીઠ એમ બે મળી છ પ્રકારના પીઠ કહ્યા છે. અને વિવિધ ચાર પીઠના ભાગો કહ્યા છે. વળી મહાપીઠના ચોથા પ્રકારમાં માતર પીઠ કહેલ છે તે વિશેષ છે. કામદ અને કર્ણપીઠ મહાપીઠના આવેલા માનથી ઉદયમાં ઓછું થાય તે સ્વાભાવિક છે. પણ કહેલા ઉદવમાને જ કરવાને આગ્રહ સેવ, એ દીર્ધદષ્ટિનો અષાવ સૂચવે છે. વ્યવહારમાં તેમ કરવું સક્રિય રીતે બરાબર નથી. તેથીજ શાસ્ત્રકારોએ સમાજે રિમાને વા વીઃ જૈવ રિપોર કહી, તેમ ઓછું કરવાથી દોષ ઉત્પન્ન થતું નથી, એમ નિર્દેશ કરેલ છે. કહેવા માનથી અધું કે ત્રીજા ભાગનું પીઠ, કામ અને કર્ણપીડ કરવું. સ્થાન માનને આશ્રય જાણીને તેમ કરવામાં દોષ નથી, તેમ શાસ્ત્રકારો કહે છે. ' ૨. પ્રાધાન્ય એવા મોટા પ્રાસાદને મહાપીઠ કરવું. પરંતુ બીજા નિરાધાર પ્રાસાદમાં કામદપીઠ, કહેલા માનેથી ઓછું કરવામાં દોષ નથી એમ શાસ્ત્રકાર કહે છેસામાન્ય પ્રાસાદ કે એક પંક્તિનાં વિશેષ મંદિર હય, જેવા કે બાવન છનાલય કે સહસ્ત્રલિંગની દેરીઓ કે ચોસઠ યોગિનીની દેરીઓ જેવાં કામમાં કર્ણપીઠ કરવું. આ બધું સ્થાન માનને આશ્રય જાણીને બુદ્ધિમાન શિલ્પીએ કરવું. બધે જ એકજ સૂવ પકડી રાખવાનો આગ્રહ ન રાખ પણ વિવેકબુદ્ધિ વાપરવી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy