SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨] એકવાર રાજકુમારી અંજનીની નવયૌવન અવસ્થા દેખીને તેના પિતાને તેના વિવાહની ચિંતા ઊપજી. જેમ સુલોચનાને દેખીને રાજા અકંપનને ચિંતા ઊપજી હતી, તેમ અંજનીને દેખીને રાજા મહેન્દ્રને ચિંતા ઊપજી, અને મંત્રીઓ ને બોલાવીને પૂછ્યું કે આ કન્યા કોને પરણાવવી યોગ્ય છે? ત્યારે કોઈએ રાજા રાવણનું નામ દીધું, કોઇએ ઇંદ્રજીત, મેઘનાદ વગેરેનું નામ આપ્યું; ધન્યમંત્રી કહેવા લાગ્યા-હૈ રાજન્ ! દક્ષિણશ્રેણીમાં કનકપુર નગરના રાજા હિરણ્યપ્રભ તથા રાણી સુમનાનો પુત્ર સૌદામિનીપ્રભ (વિદ્યુત્પ્રભ ) છે, તે મહા યશવંત-ગુણવંત છે, તથા સર્વ વિદ્યાધરો ભેગા થઇને લડે તોપણ તેને જીતી ન શકે એવો પરાક્રમી છે, માટે તેને પુત્રી પરણાવો. –એ વાત સાંભળીને સંદેહપરાગ નામના મંત્રી માથું ધૂણાવીને આંખ મીંચીને કહેવા લાગ્યા-જોકે વિદ્યુત્પ્રભ મહા ભવ્ય છે, તેને નિરંતર એવો વિચાર રહે છે કે આ સંસાર અનિત્ય છે; તેથી સંસારનું સ્વરૂપ જાણીને માત્ર અઢારમા વર્ષે તો તે વૈરાગ્ય ધારણ કરશે; તે વિષયાભિલાષી નથી, ભોગરૂપ ગજ-બંધનને તોડીને તે ગૃહસ્થાપણાનો ત્યાગ કરશે અને બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત થઇને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામશે. તેથી તેની સાથે પરણાવતાં કન્યા પતિ વગરની થઇ જાય અને શોભા ન પામે; માટે તેની સાથે કન્યાનો સંબંધ ચિત નથી. પણ ભરતક્ષેત્રના વિજયાદ્ઘ પર્વતની દક્ષિણશ્રેણીમાં આદિત્યપુર નગર છે, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy