________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બે સખી
Tછે.
૧ઃ પ્રીતિ અને અપ્રીતિ શ્રી મુનિસુવ્રત ભગવાનનું તીર્થ ચાલતું હતું તે વખતની આ કથા છે. અનંતવીર્ય-કેવળી પાસે ધર્મોપદેશ સાંભળીને હનુમાનજી વિભીષણ વગેરેએ વ્રત ધારણ કર્યા. હનુમાનજીનું સમ્યકત્વ તથા શીલ ખાસ પ્રશંસનીય છે. હનુમાનજીની પ્રશંસા સાંભળીને શ્રેણીકરાજા પૂછે છે કે હું પ્રભો! તે કોના પુત્ર? અને કયાં ઊપજ્યા? –ત્યારે, સપુરુષોની કથાથી જેને પ્રમોદ ઊપજ્યો છે એવા ઇંદ્રભૂતિગૌતમસ્વામી આફ્લાદકારી વચનદ્વારા તે કથા કહે છે:
ભરતક્ષેત્રની દક્ષિણ દિશામાં મહેન્દ્ર નામના વિદ્યાધરરાજાએ મહેન્દ્રપુર નગર વસાવ્યું. રાજા મહેન્દ્રને હૃદયવેગા રાણી અને અરિન્દમ વગેરે ૧૦૦ કુમારો તથા અંજની-સુંદરી નામની મહા ગુણવંતી કુંવરી હતી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com