SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬૨] [ મોક્ષશાસ્ત્ર યોગ્ય છે” એવો આઠમા સૂત્રનો ઉપદેશ વ્યર્થ જાય. દશમા તથા અગીઆરમાં સૂત્રમાં ઉત્તમ ગુણસ્થાનોએ જે પરિષહ કહ્યા છે તે ઉપચારથી છે, પણ નિશ્ચયથી નથી એમ સમજવું. ૧૧ છઠ્ઠાથી નવમા ગુણસ્થાન સુધીના પરિષહો વારસામ્પાયે સર્વે ૨૨ાા અર્થ- [વારસાપરાયે] બાદરસાંપરાય અર્થાત્ સ્થૂળકષાયવાળા જીવોને [ સર્વે ] સર્વે પરિપહો હોય છે. ટીકા ૧. છઠ્ઠાથી નવમાં ગુણસ્થાનને બાદરસાંપરાય કહેવાય છે. આ ગુણસ્થાનોમાં પરિષહુના કારણભૂત બધા કર્મોનો ઉદય છે, પણ જીવ જેટલે અંશે તેમાં જોડાતો નથી તેટલે અંશે (આઠમા સૂત્રની માફક પરિષહજય કરે છે.) ૨. સામાયિક, છેદો પસ્થાન અને પરિહારવિશુદ્ધિ, એ ત્રણ સંયમોમાંથી કોઈ એકમાં બધા પરિષહોનો સંભવ છે. || ૧૨ આ રીતે કયા ગુણસ્થાને કેટલા પરિષહજય હોય છે તેનું વર્ણન કર્યું. હવે કયા કર્મના ઉદયથી કયા કયા પરિષહો હોય છે તે જણાવે છે. જ્ઞાનાવરણકર્મના ઉદયથી થતા પરિષહો જ્ઞાનવરને પ્રજ્ઞISજ્ઞાનેરા શરૂ ા અર્થ - [ જ્ઞાનાવરણ] જ્ઞાનાવરણીયના ઉદયથી [પ્રજ્ઞા અજ્ઞાને] પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહો હોય છે. ટીકા પ્રજ્ઞા આત્માનો ગુણ છે, તે પરિષહનું કારણ થાય નહિ; પણ જ્ઞાનનો ઉઘાડ હોય અને તેના મદજનિત પરિષહ હોય તો તે વખતે જ્ઞાનાવરણકર્મનો ઉદય હોય છે. જ્ઞાની જીવ જ મોહનીયકર્મના ઉદયમાં જોડાય તો તેમને અનિત્ય મદ આવી જાય છે. પણ પુરુષાર્થ પૂર્વક જ્ઞાની જીવ જેટલે અંશે તેમાં ન જોડાય તેટલે અંશે તેમને પરિષહજય છે. (જુઓ, સૂત્ર ૮.) || ૧૩ાા દર્શનમોહનીય તથા અંતરાયકર્મના ઉદયથી થતા પરિષહો दर्शनमोहांतराययोरदर्शनाऽलाभौ।। १४ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy