SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૧ ] [ ૫૬૧ ઉપરના ગુણસ્થાનોમાં નિદ્રા આવી જાય તો ત્યાં પ્રમાદ થાય અને ધ્યાનનો અભાવ થઈ જાય. નિદ્રા, પ્રચલાનો ઉદય બારમા ગુણસ્થાન સુધી હોવા છતાં અપ્રમત્તદશામાં મંદ ઉદય હોવાથી નિદ્રા વ્યાપતી નથી. વળી સંજ્વલનનો મંદ ઉદય હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનોમાં પ્રમાદનો અભાવ છે, કેમ કે પ્રમાદ તો સંજ્વલનના તીવ્ર ઉદયમાં જ હોય છે. વેદના તીવ્ર ઉદયથી સંસારી જીવને મૈથુન સંજ્ઞા થાય છે અને વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે; પરંતુ શ્રેણીના ચડેલા સંયમી મુનિને વેદના મંદ ઉદયથી મૈથુનસંજ્ઞાનો અભાવ છે; મંદ ઉદયથી તેમને મૈથુનની વાંછા ઉપજતી નથી. (૩) કેવળી ભગવાનને વેદનીયનો અતિ મંદ ઉદય છે; તેનાથી ક્ષુધાદિક ઉપજતા નથી; શક્તિરહિત અસાતાવેદનીય કેળવીને ક્ષુધાદિક ઉપજાવવા સમર્થ નથી. જેમ સ્વયંભૂરમણસમુદ્રના સમસ્ત જળમાં અનંતમા ભાગે ઝેરની કટકી તે પાણીને વિષરૂપ કરવા સમર્થ નથી, તેમ અનંતગુણ અનુભાગવાળા સાતાવેદનીયના ઉદય સહિત કેવળી ભગવાનને અનંતમા ભાગે અસંખ્યાત વાર જેનો ખંડ થઈ ગયો છે એવું અસાતાવેદનીયકર્મ ક્ષુધાદિક વેદના. ઉપજાવી શક્યું નથી. (૪) અધઃપ્રવૃત્તકરણમાં અશુભકર્મપ્રકૃતિઓની વિષ, હળાહળરૂપ જે શક્તિ છે તેનો અભાવ થાય છે અને નિમ્બ (લીંબડા), કાંજીરૂપ રસ રહી જાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનમાં ગુણશ્રેણીનિર્જરા, ગુણસંક્રમણ, સ્થિતિકાંડોત્કીર્ણ અને અનુભાગકાંડોત્કીર્ણ એ ચાર આવશ્યક થાય છે; તેથી કેવળીભગવાનને અસાતાવેદનીયાદિ અપ્રશસ્ત પ્રકૃતિઓનો ૨સ અસંખ્યાત વાર ઘટીને અનંતાનંતમો ભાગ રહી ગયો છે, તેથી અસાતામાં સામર્થ્ય ક્યાં રહ્યું છે કે જેથી કેવળી ભગવાનને ક્ષુધાદિક ઉપજાવવામાં તે નિમિત્ત થાય ? ( અર્થપ્રકાશિકા પા. ૪૪૬ આવૃત્તિ બીજી) ૬. સૂત્ર ૧૦-૧૧ નો સિદ્ધાંત અને સૂત્ર ૮ સાથેનો સંબંધ વેદનીયકર્મનો ઉદય હોય પણ જો મોહનીયકર્મનો ઉદય ન હોય તો જીવને વિકાર થાય નહિ (સૂ. ૧૧); કેમ કે જીવને અનંતવીર્ય પ્રગટયું છે. વેદનીયકર્મનો ઉદય હોય અને જો મોહનીયકર્મનો મંદ ઉદય હોય તો તે પણ વિકારનું નિમિત્ત થાય નહિ (સૂ. ૧૦) કેમ કે જીવને ત્યાં ઘણો પુરુષાર્થ પ્રગટયો છે. દસથી તેરમા ગુણસ્થાન સુધીના જીવોને સંપૂર્ણ પરિષહજય વર્તે છે અને તેથી તેમને વિકાર થતો નથી. જો ઉત્તમ ગુણસ્થાનકવાળા જીવો પરિષહજય ન કરી શકે તો પછી, ‘સંવરના માર્ગથી ચૂત ન થવા માટે અને નિર્જરાને અર્થે પરિષહ સહન કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy