SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ ] [ મોક્ષશાસ્ત્ર વૈમાનિક દેવોને રહેવાનાં સ્થાન सौधर्मेशानसानत्कुमारमाहेंद्रब्रह्मब्रह्मोत्तरलान्तवकापिष्ठशुक्रमहाशुक्रसतारसहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसुग्रैवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषुसर्वार्थसिद्धौ च।।१९।। અર્થ:- સૌધર્મ-ઐશાન, સાનકુમાર-માહેન્દ્ર, બ્રહ્મ-બ્રહ્મોત્તર, લાન્તવ-કાપિષ્ઠ, શુક્ર-મહાશુક્ર, સતાર-સહુન્નાર-આ છ યુગલોનાં બાર સ્વર્ગોમાં, આનત-પ્રાણત એ બે સ્વર્ગોમાં, આરણ-અય્યત એ બે સ્વર્ગોમાં, નવ રૈવેયક વિમાનોમાં, નવ અનુદિશ વિમાનોમાં અને વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધિ એ પાંચ અનુત્તર વિમાનોમાં વૈમાનિક દેવો રહે છે. ટીકા (૧) નવ રૈવેયકોનાં નામ-૧. સુદર્શન, ૨. અમોઘ, ૩. સુપ્રબુદ્ધ, ૪. યશોધર. પ. સુભદ્ર, ૬. વિશાલ, ૭. સુમન, ૮. સૌમન અને ૯. પ્રીતિકર. (૨) નવ અનુદિશનાં નામ-૧. આદિત્ય, ૨. અર્ચિ, ૩. અર્ચિમાલી, ૪. વૈરોચન, ૫. પ્રભાસ, ૬. અર્ચિપ્રભ, ૭. અર્ચિમધ્ય, ૮. અર્ચિરાવર્ત અને ૯. અર્ચિવિશિષ્ઠ. સૂત્રમાં અનુદિશ”નામ નથી પરંતુ નર્વસુ'પદથી તેનું ગ્રહણ થઈ જાય છે. નવ અને રૈવેયક એ બન્નેને સાતમી વિભક્તિ લગાડી છે તે બતાવે છે કે “કૈવેયક' થી “નવ” એ જુદાં સ્વર્ગ છે. (૩) સૌધર્માદિક એકેક વિમાનમાં એકેક જિનમંદિર અનેક વિભૂતિ સહિત હોય છે. વળી ઇન્દ્રના નગરની બહાર અશોકવન, આમ્રવન વગેરે હોય છે. તે વનમાં એક હજાર યોજન ઊંચું અને પાંચસો યોજન પહોળું એક ચૈત્યવૃક્ષ છે. તેની ચારે દિશાઓમાં પલ્ચકાસન જિનેન્દ્રદેવની પ્રતિમા છે. (૪) ઇન્દ્રના આ સ્થાનમંડપમાં અગ્રભાગે માનસ્થંભ હોય છે, તે માનસ્થંભમાં તીર્થંકરદેવ ગૃહસ્થદશામાં હોય ત્યાં સુધી તેને પહેરવા યોગ્ય આભરણનો એક રત્નમય કંડિયો( પટારો) હોય છે. તેમાંથી આભરણો કાઢીને ઇન્દ્ર તે તીર્થંકરદેવને પહોંચાડે છે. સૌધર્મના માનસ્થંભના રત્નમય કંડિયામાં ભરતક્ષેત્રના તીર્થકરનાં આભરણ હોય છે. ઐશાન સ્વર્ગના માનસ્થંભના કંડિયામાં ઐરાવતક્ષેત્રના તીર્થકરનાં આભરણ હોય છે. સાનકુમારના માનસ્થંભના કંડિયામાં પૂર્વ વિદેહના તીર્થકરનાં આભરણ હોય છે; માહેન્દ્રના માનસ્થંભના કંડિયામાં પશ્ચિમ વિદેહના તીર્થકરનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy