SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૭૫ આજ્ઞા ન માની તેમના નગર, ગામ ઉજ્જડ કરી નાખ્યા. ઉધાનનાં વૃક્ષો ઉખાડી નાખ્યાં, જેમ કમળવનને ઉન્મત્ત હાથી ઉખાડી નાખે તેમ. આમ રાક્ષસ જાતિના વિધાધરો ખૂબ ગુસ્સે થયા ત્યારે પ્રજાજનો માલીના સૈન્યથી ડરીને ધ્રુજતા ધ્રુજતા રથનપુર નગરમાં રાજા સહસ્ત્રારના શરણે આવ્યા. તેઓ ચરણમાં નમસ્કાર કરીને દીન વચન કહેવા લાગ્યા કે હું પ્રભો ! સુકેશનો પુત્ર રાક્ષસકુલી રાજા માલી સમસ્ત વિદ્યાધરો પર આજ્ઞા ચલાવે છે, આખાય વિજ્યાદ્ધ ઉપર અમને પીડ છે, આપ અમારું રક્ષણ કરો. ત્યારે સહસ્ત્રારે આજ્ઞા કરી કે વિદ્યાધરો! મારા પુત્ર ઇન્દ્રના શરણે જઈ તેને વિનંતી કરો, તે તમારું રક્ષણ કરવાને સમર્થ છે. જેમ ઇન્દ્ર સ્વર્ગલોકનું રક્ષણ કરે છે તેમ આ ઇન્દ્ર સમસ્ત વિધાધરોનો રક્ષક છે. પછી બધા વિધાધરો ઇન્દ્ર પાસે ગયા, તેને હાથ જોડી, નમસ્કાર કરી સર્વ વૃત્તાન્ત કહ્યા. ત્યારે ઇન્દ્ર માલી ઉપર ગુસ્સે થઈ, ગર્વથી હસતા હસતા સર્વ લોકોને કહેવા લાગ્યા. કેવો છે ઇન્દ્ર? જેણે પાસે પડેલા વજ તરફ જોયું છે, જેનાં નેત્ર લાલ થઈ ગયાં છે. તેણે કહ્યું કે હું લોકપાલ છું, લોકોની રક્ષા કરું, જે લોકના કંટક હોય તેને પકડીને મારું અને તે પોતે જ લડવા આવ્યો છે તો એના જેવું બીજું રૂડું શું? પછી રણનાં નગારાં વગાડવામાં આવ્યા. તેના અવાજથી મત્ત હાથીઓ ગજબંધનને ઉખાડવા લાગ્યા. સમસ્ત વિધાધરો યુદ્ધનો સાજ સજીને ઇન્દ્ર પાસે આવ્યા. બખ્તર પહેરીને, હાથમાં અનેક પ્રકારનાં આયુધ લઈને, પરમ હર્ષિત થતા કેટલાક ઘોડા ઉપર ચડયા તથા હાથી, ઊંટ, સિંહ, વાઘ, શિયાળ, મૃગ, હંસ, બકરા, બળદ, ઘેટાં વગેરે માયામયી અનેક વાહનો પર બેસીને આવ્યા, કેટલાક વિમાનમાં બેઠા, કેટલાક મોર ઉપર બેઠા, કેટલાક ખચ્ચર પર ચડીને આવ્યા. ઇન્દ્ર જે લોકપાલ સ્થાપ્યા હતા તે પોતપોતાના વર્ચસહિત અનેક પ્રકારનાં હથિયારો સાથે આવ્યા. તેમની ભ્રમર વાંકી હતી અને મખ ભયાનક હતાં. ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર ચડયા, બખ્તર પહેર્યું શિર પર છત્ર ધરેલું હતું, તે રથનૂપુરમાંથી બહાર નીકળ્યા. સેનાના વિદ્યાધરો જે દેવ કદ્ધરાવતા તે દેવો અને લંકાના રાક્ષસો વચ્ચે મહાયુદ્ધ થયું. હે શ્રેણિક! આ દેવો અને રાક્ષસો બધા વિદ્યાધર મનુષ્યો છે, નમિ વિનમિના વંશના છે. તેમની વચ્ચે એવું યુદ્ધ થયું કે કાયરોથી તે દેખ્યું ન જાય. હાથી સાથે હાથી, ઘોડા સાથે ઘોડા, યાદો સાથે પ્યાદાં લડયા. કૂહાડા, મુગલ, ચક્ર, ખગ, ગોફણ, મુશળ, ગદા, પાશ ઈત્યાદિ અનેક આયુધોથી યુદ્ધ થયું. દેવોની સેનાએ કેટલાક રાક્ષસોનું બળ ઘટાડ્યું ત્યારે વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ જે રાક્ષસવંશીઓના પરમ મિત્ર હતા તેમણે રાક્ષસોની સેનાને દબાયેલી જોઈને યુદ્ધમાં ઝંપલાવ્યું. તેમના યુદ્ધથી સમસ્ત ઇન્દ્રની સેનાના દેવજાતિના વિદ્યાધરો પાછા હઠયા. એમનું બળ મેળવીને લંકાના રાક્ષસકુલી વિધાધરો મહાયુદ્ધ કરવા લાગ્યા. અસ્ત્રોના સમૂહથી આકાશમાં અંધકાર ફેલાવી દીધો. રાક્ષસ અને વાનરવંશીઓ દ્વારા દેવોનું બળ હુરાયેલું જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવાને તેયાર થયો. સમસ્ત રાક્ષસવંશી અને વાનરવંશી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy