SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૧ સહિત થોડો સમય કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરી. તેમના હાથ નીચે લંબાયા છે, પ્રશાંત હૃદયે સામાયિક અંગીકાર કરી હાથ જોડી સમસ્ત અશુભ કર્મનું નાશક શાંતિનાથ સ્વામીનું સ્તોત્ર પઢવા લાગ્યા, હે પ્રભો ! તમારા ગર્ભાવતાર સમયે સર્વલોકમાં શાંતિ થઈ, સકળ જીવોને આનંદ ઊપજ્યો. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવો અત્યંત હર્ષ પામીને આવ્યા, ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત પર તમારો જન્માભિષેક થયો, તમે ચક્રવર્તીપદ ધારણ કરીને જગતનું રાજ્ય કર્યું, બાહ્ય શત્રુઓને બાહ્ય ચક્રથી જીત્યા અને મુનિ થઈ અંદરના મોહ રાગાદિક શત્રુને ધ્યાનથી જીત્યા, કેવળજ્ઞાન પામ્યા, જન્મજરામરણથી રહિત મોક્ષનું અવિનાશી રાજ્ય લીધું. કર્મરૂપ વેરીને જ્ઞાનશસ્ત્રથી દૂર કર્યા. કેવા છે કર્મશત્રુ? સદા ભવભ્રમણના કારણ, જન્મજરામરણભયરૂપ આયુધોથી યુક્ત અને સદા શિવપુરપંથના રોકનારા. શિવપુર કેવું છે? ઉપમારહિત નિત્ય શુદ્ધ, જ્યાં પરભાવનો આશ્રય નથી, કેવળ નિજભાવનો આશ્રય છે. આપ અત્યંત દુર્લભ એવા નિર્વાણરૂપ છો અને બીજાઓને નિર્વાણપદ સુલભ કરો છો, આખા જગતને શાંતિનું કારણ છો. હે શાંતિનાથ! તમને મનવચનકાયાથી નમસ્કાર હો. હું જિનેશ ! હું મહેશ! અત્યંત શાંત દશા પામ્યા છો, સ્થાવર-જંગમ સર્વ જીવોના નાથ છો, જે તમારા શરણે આવે તેના રક્ષક છો, સમાધિબોધના દાતા છો. તમે પરમેશ્વર, સર્વના ગુરુ, સર્વના બાંધવ છો, મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરનાર, સર્વ ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા છો. તમારા પ્રસાદથી સર્વ દુઃખરહિત પરમ સ્થાનને મુનિરાજ પામે છે. હું દેવાધિદેવ! તમને નમસ્કાર. તમે સર્વ કર્મનો વિલય કર્યો છે. હે કૃતકૃત્ય ! જેમણે પરમ શાંતિનું પદ પ્રાપ્ત કર્યું છે એવા તમને નમસ્કાર. ત્રણે લોકને શાંતિનું કારણ, સકળ સ્થાવર-જંગમ જીવોના નાથ, શરણાગતપાલક, સમાધિબોધના દાતા, હે પ્રભો! તમે જ ગુરુ, તમે જ બાંધવ, તમે જ મોક્ષમાર્ગના નિયંતા પરમેશ્વર, ઇન્દ્રાદિક દેવોથી પૂજ્ય, ધર્મતીર્થના કર્તા, સર્વ દુઃખના હુરનાર, કર્મોના નાશક, તમને નમસ્કાર હો. હું લબ્ધલભ્ય! એટલે કે પામવાયોગ્ય પદને પામનાર! શાંત સ્વભાવમાં બિરાજમાન, સર્વદોષરહિત હે ભગવાન! કૃપા કરો, અમને તે અખંડ અવિનાશી પદ આપો, ઇત્યાદિ સ્તોત્ર બોલી કમળ-નયન શ્રી રામે પ્રદક્ષિણા દઈ વંદના કરી. શ્રી રામ વિવેકી અને પુણ્યકર્મમાં સદા પ્રવીણ છે. રામની પાછળ, નમ્ર અંગવાળી જાનકીએ બેય હાથ જોડી સ્તુતિ કરી. શ્રી રામના શબ્દ દુંદુભિ સમાન અને જાનકીના શબ્દ અતિમિષ્ટ કોમળ વીણા સમાન છે. વિશલ્યા સહિત લક્ષ્મણે સ્તુતિ કરી તથા ભામંડળ, સુગ્રીવ, હુનુમાને મંગળ સ્તોત્ર ગાયાં. હાથ જોડી, જિનરાજમાં પૂર્ણ ભક્તિપૂર્વક ગાન કરતાં, મૃદંગાદિ વગાડતાં મહાધ્વનિ થયો, મોર તેને મેઘધ્વનિ સમજી નૃત્ય કરવા લાગ્યા. તેઓ જિનમંદિરમાં સ્તુતિ, પ્રણામ કરી રહ્યા હતા તે સમયે રાજા વિભીષણ પોતાના દાદા સુમાલી, તેમના નાના ભાઈ સુમાલ્યવાન, સુમાલીના પુત્ર રાવણના પિતા રત્નશ્રવા આદિ પોતાના વડીલોનું સમાધાન કરતા હતા. વિભીષણ સંસારની અનિત્યતાના ઉપદેશમાં અત્યંત પ્રવીણ છે. તેમણે વડીલોને કહ્યું: હે તાત! આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મોને ભોગવે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy