SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ માની લે. આપનો મારા ઉપર કૃપાભાવ છે તો હું કહું છું. તમે પરસ્ત્રીનો પ્રેમ તજો. હું જાનકીને લઈને રામ પાસે જાઉં અને રામને તમારી પાસે લાવું તથા કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદને પણ લાવું. અનેક જીવોની હિંસાથી શો લાભ? મંદોદરીએ આમ કહ્યું ત્યારે રાવણે અત્યંત ક્રોધથી કહ્યું, શીધ્ર ચાલી જા, જ્યાં તારું મુખ હું ન જોઉં ત્યાં ચાલી જા. અરે ! તું તને વૃથાપંડિત માને છે. પોતાની ઉચ્ચતા તજી સામા પક્ષની પ્રશંસા કરતી તું દિીન ચિત્તવાળી છે. યોદ્ધાઓની માતા, તારા ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા પુત્રો અને મારી પટરાણી, રાજા મયની પુત્રી એવી તારામાં આટલી કાયરતા ક્યાંથી આવી ? ત્યારે મંદોદરી બોલી, હે પતિ ! સાંભળો, જ્ઞાનીઓના મુખે બળભદ્ર, નારાયણ, પ્રતિનારાયણના જન્મની વાત આપણે સાંભળીને છીએ. પહેલા બળભદ્ર વિજય, નારાયણ, ત્રિપૃષ્ઠ, પ્રતિનારાયણ, અશ્વગ્રીવ; બીજા બળભદ્ર અચળ, નારાયણ દ્વિપૃષ્ટ, પ્રતિનારાયણ તારક-એ પ્રમાણે અત્યાર સુધીમાં સાત બળભદ્ર નારાયણ થઈ ગયા છે અને એમના શત્રુ પ્રતિનારાયણને એમણે હણ્યા છે. હવે તમારા સમયમાં આ બળભદ્ર નારાયણ થયા છે અને તમે પ્રતિવાસુદેવ છો. આગળ પ્રતિવાસુદેવ હઠ કરીને હણાઈ ગયા છે તેમ તમે નાશ ઇચ્છો છો. જે બુદ્ધિમાન છે તેમણે એ જ કાર્ય કરવું જોઈએ જે આ લોક અને પરલોકમાં સુખ આપે અને જેનાથી દુઃખના અંકુરની ઉત્પત્તિ ન થાય. આ જીવ ચિરકાળ સુધી વિષયથી તૃપ્ત થયો નથી, ત્રણ લોકમાં એવો કોણ છે જે વિષયોથી તૃપ્ત હોય. તમે પાપથી મોહિત થયા છો તે વૃથા છે. અને ઉચિત તો એ છે કે તમે ઘણા કાળ સુધી ભોગ ભોગવ્યા છે. હવે મુનિવ્રત ધારણ કરો અથવા શ્રાવકનાં વ્રત લઈ દુઃખનો નાશ કરો. અણુવ્રતરૂપ ખગથી જેનું અંગ દીપ્ત છે, નિયમરૂપ છત્રથી શોભિત, સમ્યગ્દર્શનરૂપ બખ્તર પહેરી, શીલરૂપ ધ્વજ ફરકાવતાં, અનિત્યાદિ બાર ભાવનારૂપ ચંદનથી જેનું અંગ લિપ્ત છે અને જ્ઞાનરૂપ ધનુષ ધારણ કરી, ઇન્દ્રિયરૂપ સેનાને વશ કરી, શુભ ધ્યાન અને પ્રતાપથી યુક્ત, મર્યાદારૂપ અંકુશ સહિત, નિશ્ચળતારૂપ હાથ પર ચઢી, જિનભક્તિરૂપ ભક્તિ જેણે કરી છે એવા, દુર્ગતિરૂપ નદી જેમાં મહાકુટિલ પાપરૂપ વેગનું જળ વહે છે. અતિ દર્શાવ્યું છે તે પંડિતો તરે છે, તમે પણ તેને તરી સુખી થાવ. હિમવાન સુમેરુ પર્વત પરનાં જિનાલયોની પૂજા કરતાં મારી સાથે અઢી દ્વીપમાં વિહાર કરો અને અઢાર હજાર સ્ત્રીઓ સાથે સુમેરુ પર્વતના વનમાં ક્રિીડા કરો, ગંગાના તટ પર ક્રીડા કરો, બીજા પણ મનવાંછિત પ્રદેશોમાં, રમણીય ક્ષેત્રોમાં હું નરેન્દ્ર! સુખેથી વિરો. આ યુદ્ધનું કાંઈ પ્રયોજન નથી, પ્રસન્ન થાવ. મારું વચન સર્વથા સુખનું કારણ છે, આ લોકાપવાદ ન કરાવો. અપયશરૂપ સમુદ્રમાં શા માટે ડૂબો છો ? આ અપવાદ વિષતુલ્ય, મહાનિંઘ, પરમ અનર્થનું કારણ છે, ભલું નથી. દુર્જનો સહજમાંય પરનિંદા કરે છે તો આવી વાત સાંભળીને તો કરશે જ. આ પ્રમાણે શુભ વચન કહી તે મહાસતી હાથ જોડી, પતિનું પરમ હિત ઈચ્છતી પતિના પગમાં પડી. ત્યારે રાવણે મંદોદરીને ઊઠાડીને કહ્યું-તું નિષ્કારણ કેમ ભય પામે છે? સુંદરવદની ! મારાથી ચડિયાતું આ સંસારમાં કોઈ નથી. તું આ સ્ત્રી પર્યાયના સ્વભાવથી નકામી શા માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy