SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ અગ્નિથી ભસ્મ થઈ ગઈ હોય. મંદ મંદ પવનથી લતાઓને હાલતી જોઈ જાણે છે કે આ જાનકી જ છે અને વેલીઓના પાનને હાલતાં જોઈ જાણે કે જાનકીનાં વસ્ત્ર ફરફરે છે અને ભ્રમર સંયુક્ત ફૂલોને જોઈ જાણે કે આ જાનકીના લોચન જ છે અને કૂંપળો જોઈને જાણે કે આ જાનકીના કપલ્લવ જ છે. શ્વેત, શ્યામ, લાલ, ત્રણ જાતિનાં કમળો જોઈને જાણે કે આ જાનકીના નેત્ર ત્રણ રંગ ધારણ કરે છે. પુષ્પોના ગુચ્છને જોઈને જાણે કે આ જાનકીના શોભાયમાન સ્તન જ છે અને કેળના સ્તંભમાં જાંધની શોભા જાણે, લાલ કમળોમાં ચરણોની શોભા જાણે, સંપૂર્ણ શોભા જાનકીરૂપ જ જાણે. પછી સુગ્રીવ સુતારાના મહેલમાં જ રહ્યો, રામ પાસે આવ્યે ઘણા દિવસો થયા ત્યારે રામે વિચાર્યું કે તેણે સીતાને જોઈ નથી. મારા વિયોગમાં તપ્તાયમાન થઈને તે શીલાવંતી મરી ગઈ, તેથી સુગ્રીવ મારી પાસે આવતો નથી. અથવા તે પોતાનું રાજ્ય મેળવીને નિશ્ચિત થયો અને અમારું દુ:ખ ભૂલી ગયો છે. આ વિચારથી રામની આંખમાં આંસુ પડયાં, ત્યારે લક્ષ્મણે રામને ચિંતાતુર જાણીને, ગુસ્સાથી જેનાં નેત્રો લાલ થયા છે, જેનું મન આકુળવ્યાકુળ છે એવો તે હાથમાં નગ્ન તલવાર લઈને સુગ્રીવ તરફ ચાલ્યો તેથી નગર કંપાયમાન થઈ ગયું. રાજ્યના બધા અધિકારીઓને વટાવી સુગ્રીવના મહેલમાં જઈ તેને કહ્યું કે પાપી ! મારા પરમેશ્વર રામ તો સ્ત્રીના દુઃખમાં દુઃખી છે અને તું દુર્બુદ્ધિ સ્ત્રી સાથે સુખપૂર્વક રાજ્ય કરે છે. હું વિધાધર કાક! વિષયલુબ્ધ દુષ્ટ! જ્યાં રઘુનાથે તારા શત્રુને મોકલ્યો છે ત્યાં હું તને મોકલીશ. આ પ્રમાણે ક્રોધનાં ઉગ્ર વચનો લક્ષ્મણે કહ્યાં. ત્યારે તે હાથ જોડી નમસ્કાર કરી લક્ષ્મણનો ક્રોધ શાંત કરવા લાગ્યો. સુગ્રીવ કહે છે હું દેવ! મારી ભૂલ માફ કરો, હું કરાર ભૂલી ગયો છું, મારા જેવા તુચ્છ મનુષ્યોથી ખોટી ચેષ્ટા થાય છે. સુગ્રીવની બધી સ્ત્રીઓ ધ્રુજતી ધ્રૂજતી લક્ષ્મણને અર્થ આપી આરતી ઉતારવા લાગી અને હાથ જોડી નમસ્કાર કરી પતિની ભિક્ષા માગવા લાગી. લક્ષ્મણ પોતે ઉત્તમ પુરુષ તેમને દીન જાણીને કૃપા કરવા લાગ્યા આ મહાન પુરુષ તો પ્રમાણમાત્રથી જ પ્રસન્ન થાય અને દુર્જન મહાદાન લઈને પણ પ્રસન્ન ન થાય. લક્ષ્મણે સુગ્રીવને તેની પ્રતિજ્ઞા યાદ કરાવીને ઉપકાર કર્યો, જેમ યક્ષદત્તને માતાનું સ્મરણ કરાવીને મુનિએ ઉપકાર કર્યો હતો. આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે નાથ ! યક્ષદત્તની વાત હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, કે શ્રેણિક! એક ર્કોચપુર નામનું નગર હતું, ત્યાં રાજા યક્ષ રાજ્ય કરતો. તેની રાણી રાજિલતાને યજ્ઞદત્ત નામનો પુત્ર હતો. તે એક દિવસ એક સ્ત્રીને નગરની બહાર ઝૂંપડીમાં બેઠેલી જોઈને કામબાણથી પીડિત થઈને તેની તરફ ચાલ્યો. રાતનો સમય હતો ત્યારે અયન નામના મુનિએ તેને જતાં રોક્યો. જેના હાથમાં ખગ હતું તે યજ્ઞદત્ત વીજળીના પ્રકાશથી મુનિને જોઈને તેમની પાસે જઈ વિનયસહિત પૂછવા લાગ્યો કે હે ભગવાન! મને જતાં શા માટે રોક્યો છે? ત્યારે મુનિએ કહ્યું કે જેને જોઈને તું કામવશ થયો છે તે સ્ત્રી તારી માતા છે, તેથી જોકે શાસ્ત્રમાં તો કહ્યું છે કે મુનિઓએ રાત્રે બોલવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy