SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ ત્રીસમું પર્વ પદ્મપુરાણ આવું કાર્ય કરે નહિ. મેં અશુભ કર્મોના ઉદયથી અત્યંત મલિન પરિણામ કર્યા. હું અને સીતા એક જ માતાના ઉદરથી જન્મ્યાં છીએ. હવે મારાં અશુભ કર્મ ગયાં અને સાચી વાત મેં જાણી છે. તેનાં આવાં વચન સાંભળીને અને તેને શોકથી પીડિત જોઈને તેના પિતા રાજા ચંદ્રગતિએ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમી તેને પૂછ્યું કે હે પુત્ર! આ તું શું કહે છે? ત્યારે કુમારે કહ્યું કે હે પિતાજી! મારું ચરિત્ર સાંભળો. પૂર્વભવમાં હું આ જ ભરતક્ષેત્રમાં વિદગ્ધપુર નગરનો રાજા હતો. મારું નામ કુંડળમંડિત હતું. પરરાજ્યનો લૂંટનારો, સદા વિગ્રહ કરનારો, પૃથ્વી પર પ્રસિદ્ધ, મારી પ્રજાનો રક્ષક, વૈભવસંયુક્ત હતો. માયાચારથી મેં એક બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું. તે વિપ્ર તો અત્યંત દુઃખી થઈને ક્યાંક ચાલ્યો ગયો અને હું રાજા અનરણ્યના દેશમાં ત્રાસ વર્તાવવા લાગ્યો એટલે અનરણ્યના સેનાપતિએ મને પકડી લીધો અને મારી બધી સંપત્તિ લૂંટી લીધી. હું શરીરમાત્ર રહી ગયો. કેટલાક દિવસ પછી બંદીગૃહથી છૂટયો અને અત્યંત દુઃખી થઈને પૃથ્વી ઉપર ભટકતાં, મુનિઓનાં દર્શન કરવા ગયો, મહાવ્રત, અણુવ્રતનું વ્યાખ્યાન સાંભળ્યું, ત્રિલોકપૂજ્ય સર્વજ્ઞ વીતરાગદેવના પવિત્ર માર્ગની શ્રદ્ધા કરી. જગતના બાંધવ એવા ગુરુની આજ્ઞાથી મેં મધ-માંસના ત્યાગરૂપ વ્રત આદર્યું, મારી શક્તિ અલ્પ હતી તેથી આ વિશેષ વ્રતો આદરી ન શક્યો. જિનશાસનનું અદ્ભુત માહાભ્ય કે હું મહાપાપી હતો તો પણ આટલાં જ વ્રતથી હું દુર્ગતિમાં ન ગયો. જિનધર્મના શરણથી જનકની રાણી વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયો અને સીતા પણ ઉપજી, અમારા બન્નેનો સાથે જન્મ થયો. પેલો પૂર્વભવનો વિરોધી વિપ્ર, જેની સ્ત્રીનું મેં હરણ કર્યું હતું તે દેવ થયો અને મને જન્મથી જ જેમ ગીધ માંસનો ટુકડો ઊઠાવી જાય તેમ નક્ષત્રોથી ઉપર આકાશમાં લઈ ગયો. પહેલાં તો તેણે વિચાર કર્યો કે આને મારું. પછી કરણાથી કુંડળ પહેરાવી, લઘુપર્ણ વિધાથી મને વિમાનમાંથી નીચે ફેંક્યો. રાત્રે નીચે પડતાં તમે મને ઝીલી લીધો અને દયા લાવીને આપની રાણીને સોંપ્યો, તમારી કૃપાથી હું મોટો થયો અને અનેક વિધાઓ મેળવી. તમે મને ઘણા લાડ લડાવ્યા અને માતાએ મારું ઘણું રક્ષણ કર્યું. આમ કહીને ભામંડળ ચૂપ થઈ ગયો. રાજા ચંદ્રગતિ આ વૃત્તાંત સાંભળીને જ્ઞાન પામ્યો, ઇન્દ્રિયોની વાસના છોડી, વૈરાગ્ય અંગીકાર કરવા તૈયાર થયો. લોકધર્મ એટલે કે સ્ત્રીસેવનરૂપી વૃક્ષને ફળરહિત જાણ્યું અને સંસારનું બંધન જાણી, પોતાનું રાજ્ય ભામંડળને આપી, પોતે શીધ્ર સર્વભૂતહિત સ્વામીની સમીપે આવ્યો. સર્વભૂતહિત સ્વામી પૃથ્વી પર સૂર્ય સમાન પ્રસિદ્ધ ગુણરૂપ કિરણોના સમૂહથી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા હતા. રાજા ચંદ્રગતિ વિધાધરે મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવી મુનિની પૂજા કરી. વળી નમસ્કાર સ્તુતિ કરી, મસ્તક નમાવી, હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યોઃ હે ભગવાન્ ! આપની કૃપાથી હું જિનદીક્ષા લઈ તપ કરવા ઈચ્છું છું, હું ગૃહવાસથી ઉદાસ થયો છું. ત્યારે મુનિએ કહ્યું કે ભવસાગરને પાર કરનારી આ ભગવતી દીક્ષા તું લે. રાજા વૈરાગ્ય પામ્યા અને ભામંડળના રાજ્યનો ઉત્સવ થયો, ઊંચા અવાજે નગારાં વાગ્યાં, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, બંસરી આદિ અનેક વાજિંત્રો વાગ્યાં. “શોભાયમાન જનક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy